સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.
ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…