ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનારા બે મુખ્ય આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 3 માર્ચના રોજ ચાર શખ્સોએ પચાસ હજારની ખંડણી માંગી દંપતી પર ધારિયા વડે હુમલો કર્યો હતો અને સોનાનું મંગળસૂત્ર તથા રોકડ મળી કુલ 1 લાખની લૂંટ ચલાવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને શનિવારે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવી કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસની પ્રક્રિયાને આગળ વધારવા અને લૂંટાયેલા મુદ્દામાલની વધુ વસૂલાત માટે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરાર અન્ય સાગરીતોની ધરપકડ બાદ હવે પોલીસ લૂંટના આ કેસમાં વધુ ઊંડી તપાસ હાથ ધરી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…