ધ્રાંગધ્રાના નરશીપરા વિસ્તારમાં પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનારા બે મુખ્ય આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 3 માર્ચના રોજ ચાર શખ્સોએ પચાસ હજારની ખંડણી માંગી દંપતી પર ધારિયા વડે હુમલો કર્યો હતો અને સોનાનું મંગળસૂત્ર તથા રોકડ મળી કુલ 1 લાખની લૂંટ ચલાવી હતી.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને શનિવારે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવી કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસની પ્રક્રિયાને આગળ વધારવા અને લૂંટાયેલા મુદ્દામાલની વધુ વસૂલાત માટે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફરાર અન્ય સાગરીતોની ધરપકડ બાદ હવે પોલીસ લૂંટના આ કેસમાં વધુ ઊંડી તપાસ હાથ ધરી રહી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…