ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ પાઉંભાજીની લારી ચલાવતા દંપતી પર થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાર શખ્સોની ટોળકીએ દંપતી પર ધારિયા વડે હુમલો કરી મહિલાનું મંગળસૂત્ર અને રોકડ મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા સિટી પોલીસે છેલ્લા 10 દિવસથી નાસતા ફરતા આરોપી સંજય ચૌહાણ અને અંકિત રાવળને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને પુરાવા એકત્ર કરવા માટે પોલીસ તેમને ઘટનાસ્થળે લઈ ગઈ હતી, જ્યાં સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કેસમાં હજુ પણ ફરાર છત્રપાલસિંહ ઉર્ફે સતુભા અને કેતન મકવાણાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…