દસાડાના વ્યકતીને ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર 2025 માં ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત:
કચ્છના નાના રણમાં વન્યજીવન સંરક્ષણ માટે બહુમાન
દેશની રાજધાની ખાતે તાજેતરમાં આયોજિત ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર-૨૦૨૫ માં ગુજરાતના એક વન્યજીવન સંરક્ષકને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દસાડા તાલુકાના જૈનાબાદ ગામના અને સોહરવર્દી પરિવારના સબીરભાઈ ખાનજીભાઈ મલેકને વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સ્વરક્ષણના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સબીરભાઈએ ખાસ કરીને ગુજરાતના કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે નોંધપાત્ર કાર્ય કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.
તેમના આ સન્માનથી ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવવંતુ થયું છે. આ એવોર્ડ તેમના દાયકાઓથી ચાલતા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની કદર છે, જેણે કચ્છના નાના રણની અનન્ય ઇકોસિસ્ટમ અને ત્યાંના વન્યજીવોને સુરક્ષિત રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે. ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર એવોર્ડ્સ દ્વારા દેશભરમાંથી વન્યજીવન સંરક્ષણમાં યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવી રહ્યુ છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…