દસાડાના વ્યકતીને ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર 2025 માં ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત:
કચ્છના નાના રણમાં વન્યજીવન સંરક્ષણ માટે બહુમાન
દેશની રાજધાની ખાતે તાજેતરમાં આયોજિત ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર-૨૦૨૫ માં ગુજરાતના એક વન્યજીવન સંરક્ષકને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દસાડા તાલુકાના જૈનાબાદ ગામના અને સોહરવર્દી પરિવારના સબીરભાઈ ખાનજીભાઈ મલેકને વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સ્વરક્ષણના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સબીરભાઈએ ખાસ કરીને ગુજરાતના કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ માટે નોંધપાત્ર કાર્ય કરતા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે.
તેમના આ સન્માનથી ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર ગૌરવવંતુ થયું છે. આ એવોર્ડ તેમના દાયકાઓથી ચાલતા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોની કદર છે, જેણે કચ્છના નાના રણની અનન્ય ઇકોસિસ્ટમ અને ત્યાંના વન્યજીવોને સુરક્ષિત રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે. ગ્લોબલ વાઇલ્ડ લાઇફ ફેર એવોર્ડ્સ દ્વારા દેશભરમાંથી વન્યજીવન સંરક્ષણમાં યોગદાન આપનાર વ્યક્તિઓને બિરદાવી રહ્યુ છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…