Categories: Surendranagar

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી

મૂળી થાન વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા નેતાઓ..

સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કૉંગ્રેસની બાઇક રેલી પણ યોજવામાં આવી..

સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને માવઠાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કારણ કે ખેડૂતોને જે સમયે પાકનું ઉત્પાદન આવવાનું હતું તે સમયે જ માવઠું થયું છે અને વરસાદ થયો છે જેને લઇને હાલની પરિસ્થિતિમાં કપાસ મગફળી જેવા પાકનો સોથ વળી ગયો છે સરકાર દ્વારા 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેનાથી ખેડૂતો પણ અસંતોષ અનુભવી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ સરકારનો ઘેરાવ કરી રહી છે.

આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા સોમનાથ થી લઇ દ્વારકા સુધી આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આ આક્રોશ યાત્રા આવી પહોંચી છે જેમાં અમી યાજ્ઞિક ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ નવસાદ સોલંકી જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ આક્રોશ યાત્રામાં જોડાયા છે ખેડૂતોની વચ્ચે જઈ અને તેમના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને વિદેશથી આયાત થતા કપાસ ઉપર રોક લગાવવામાં આવે અને સમયસર બિયારણ ખાતર અને નર્મદાનું પાણી આપવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે..

મૂકી થી થાન જ્યારે આ રેલી પહોંચી હતી તે દરમિયાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને થાનમાં પ્રવેશ મેળવ્યા બાદ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઈક રેલીમાં જોડાયા હતા 50થી વધુ ટ્રેક્ટર ઓ પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે સોમનાથ થી લઈ દ્વારકા સુધી આ યાત્રા જઈ રહી છે ત્યારે રસ્તામાં ખેતી કામ કરતા ખેડૂતોની મુલાકાતે પણ કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય કરી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના નેતાઓએ પણ કરી છે અને આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો યાત્રાનો પાઠ બે પણ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસના નેતાઓએ ઉચ્ચારી છે હાલની પરિસ્થિતિમાં થાન થી લઇ વાંકાનેર આ યાત્રા પહોંચી જશે ત્યારબાદ દ્વારકા તરફ આ યાત્રા આગળ વધવાની છે અલગ અલગ દિવસે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ પણ આ યાત્રામાં જોડાવાના છે

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago