Chotila

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનન ઝડપાયું, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

 

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ ચોટીલાના પ્રાંત અધિકારી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના મોટી મોલડી ગામે સરકારી ખરાબામાં ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને અંદાજિત એક કરોડ રૂપિયાનો મુદ્દા માલ ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના સરકારી સર્વે નંબર ૨૮૨ વાળી જમીનમાં આકસ્મિક રેડ પાડતા સદર જમીનમાં ગેરકાયદેસર રીતે તાસ ખનિજનું ખોદકામ કરતા નીચે મુજબના કુલ ૨ (બે) જેસીબી અને ૪ (ચાર) ટ્રેકટર (ટ્રોલી સાથે) ના જપ્ત કરવામાં આવ્યા.

જપ્ત કરેલ મુદ્દામાલની વિગત : (૧) ૨ જેસીબી (૨) ૪ ટ્રેકટર

એમ મળી કુલ રૂ.૧,૦૦,૧૦,૦૦૦/- ( અંકે રૂપિયા એક કરોડ દસ હજાર પુરા) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેવામાં આવ્યો.

આ ગેરકાયદેસર ખનિજ ખોદકામની પ્રવૃત્તિ મોહનભાઇ ટી. ડાભી, માજી. જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે. અમદાવાદ તથા તેમના પુત્ર સંજયભાઇ મોહનભાઇ ડાભી હાલ રહે. અમદાવાદ વાળા દ્વારા કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવેલ છે, જેઓની સામે “The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 ના નિયમ ૨૧(૩) મુજબ વસુલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરવામાં આવી.

ટ્રેકટરના માલીક : (૧) ગોપાલભાઇ સોમાભાઇ ડાભી રહે મોટી મોલડી (૨) અમરશીભાઇ નાનજીભાઇ કુમારખાણીયા રહે. સુર્ય રામ૫રા (૩) નાથાભાઇ બિજલભાઇ મકવાણા રહે. રાજ૫રા (૪) સોમાભાઇ રામજીભાઇ ડાભી રહે. મોટી મોલડી

જેસીબી ના માલીક : (૧) ગોપાલ સોમાભાઇ ડાભી રહે. મોટી મોલડી (૨) વિકાસભાઇ હમીરભાઇ કુમારખાણીયા રહે. સુર્ય રામ૫રા

તમામ સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે સતત દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ખનીજ ચોરી હોય માટી ચોરી હોય અથવા રેતી ચોરી ઉપર દરોડા પાડી અને ખનીજ ચોરો ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે વધુ એક ચોટીલાના મોટી મોલડી ગામે ખનીજ ચોરો પર દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફફડાટ ફેલાયો છે

surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago