ચોટીલા નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે તમામ દસ્તાવેજો હોવા છતાં અરજદારો પાસેથી પરાણે સોગંધનામા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મનસ્વી વહીવટને કારણે લોકોને પડતી હાલાકી અંગે અરજદારે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.
ચોટીલા નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકારના વર્ષ 2005ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અરજદારો પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ સોગંધનામા ફરજિયાતપણે માંગવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમોમાં આવા કોઈ સોગંધનામાનો ઉલ્લેખ નથી, છતાં પાલિકાએ જાતે જ નવા નિયમો બનાવી પ્રજા પર આથક બોજ વધાર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લગ્ન નોંધણી માટે સોગંધનામા, ટિકિટ અને સટફિકેટના નામે એક અરજદારને અંદાજે રૂ. 3,000નો જંગી ખર્ચ થઈ રહ્યો છે.
તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પણ વર-કન્યા પક્ષ પાસેથી આવા સોગંધનામા લઈને હેરાન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ આવી કોઈ પ્રથા ન હોવા છતાં ચોટીલામાં ચાલતી આ લૂંટ સામે જાગૃત નાગરિક વિનોદ મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પ્રજાના હિતમાં આ ખોટી પ્રથા બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…