Chotila

ચોટીલા પાલિકામાં લગ્ન નોંધણી માટે નિયમ વિરુદ્ધ સોગંધનામા માંગતા રોષ

ચોટીલા નગરપાલિકામાં લગ્ન નોંધણી માટે તમામ દસ્તાવેજો હોવા છતાં અરજદારો પાસેથી પરાણે સોગંધનામા લેવાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મનસ્વી વહીવટને કારણે લોકોને પડતી હાલાકી અંગે અરજદારે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.

ચોટીલા નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સરકારના વર્ષ 2005ના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. અરજદારો પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ સોગંધનામા ફરજિયાતપણે માંગવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારી નિયમોમાં આવા કોઈ સોગંધનામાનો ઉલ્લેખ નથી, છતાં પાલિકાએ જાતે જ નવા નિયમો બનાવી પ્રજા પર આથક બોજ વધાર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લગ્ન નોંધણી માટે સોગંધનામા, ટિકિટ અને સટફિકેટના નામે એક અરજદારને અંદાજે રૂ. 3,000નો જંગી ખર્ચ થઈ રહ્યો છે.

તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં પણ વર-કન્યા પક્ષ પાસેથી આવા સોગંધનામા લઈને હેરાન કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ આવી કોઈ પ્રથા ન હોવા છતાં ચોટીલામાં ચાલતી આ લૂંટ સામે જાગૃત નાગરિક વિનોદ મકવાણાએ ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. પ્રજાના હિતમાં આ ખોટી પ્રથા બંધ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago