ચોટીલા મામલતદાર કચેરીની ટીમ જ્યારે ખનિજ ચોરી રોકવા માટે તપાસમાં હતી, ત્યારે તેમની કામગીરીમાં રૂકાવટ કરી ધમકી આપનાર આરોપી પ્રતાપ ઉર્ફે લાલા આપાભાઇ બોરીચાને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આરોપી ખનિજ ચોરીની રેકી કરતો હતો અને કર્મચારીઓ પર નજર રાખી તેમની સાથે માથાકૂટ કરી ગર્ભિત ધમકીઓ આપી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
થાનગઢ પોલીસે વોરંટની અમલવારી કરી આરોપીને 13 માર્ચ 2026ના રોજ કોર્ટમાં રજૂ કર્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમો હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે આરોપીને 50,000 રૂપિયાના જામીન રજૂ કરવા આદેશ કર્યો હતો, પરંતુ આરોપી જામીન રજૂ ન કરી શકતા તેને લીંબડી સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓ પર દબાણ લાવનારા તત્વો સામે આ કડક કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…