સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા (Chotila) ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી કોલેજ પરિસરમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પર્વ માત્ર ધ્વજવંદન પૂરતું સીમિત ન રહેતાં ગરીબ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ પૂરનારું બની રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના (Darshanaben Vaghela) વરદ હસ્તે તાલુકાના 10 જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને સાંથણીની જમીનના અધિકારપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
ચોટીલા તાલુકાના મોણપર, આણંદપુર અને પરબડી ગામના પછાતવર્ગના 6 અને અનુસૂચિત જાતિના 4 પરિવારોને વર્ષો અગાઉ જમીન ફાળવવામાં આવી હોવા છતાં તેનો વાસ્તવિક કબજો મળ્યો નહોતો.
વહીવટી તંત્રે અત્યંત સંવેદનશીલતા દાખવી જમીનની યોગ્ય માપણી કરાવીને પ્રત્યેક પરિવારને 2 acre જમીનનો પ્રત્યક્ષ સોંપણી પત્ર આપી વર્ષોના ઈંતેજારનો અંત આણ્યો હતો.
જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી અને ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાના સઘન પ્રયાસોથી હકની જમીનનો કબજો મળતાં જ લાભાર્થી પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેમણે તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ 221 ગરીબ પરિવારોને પણ જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પગલાથી ગ્રામીણ વિસ્તારના પછાત પરિવારો માટે આર્થિક આઝાદી અને સ્વાદવલંબનનો નવો સૂર્યોદય થયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…