Surendranagar

ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારના ઠાકોર પરિવારની કારને મઘરીખડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામ પાસે ખુલ્લા ડિવાઈડર પરથી અચાનક ટર્ન લેતી પીકઅપ વાને કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

આ ભયાનક દુર્ઘટનામાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉંમર 28વર્ષ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉંમર 16) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કલ્પેશભાઈ કનુભાઈ ઠાકોર (ઉંમર 29 વર્ષ), કાર ચાલક હર્ષદભાઈ (ઉંમર 30 વર્ષ) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખુલ્લા ડિવાઈડરે લીધો ભોગ ઘટનાસ્થળના પ્રાથમિક નિરીક્ષણ મુજબ, હાઈવે પર આવેલું ગેરકાયદે કે ખુલ્લું ડિવાઈડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. પીકઅપ વાને આ ડિવાઈડર પરથી અચાનક રોડ ક્રોસ કરતા સામેથી આવતી કાર સાથે તેની ટક્કર થઈ હતી. સ્થાનિકોમાં પણ આ જીવલેણ ડિવાઈડર સામે રોષ જોવા મળી રહ્યો છે.

દર્શન કરી પરત ફરતી વખતે કાળનો પંજો ચૈત્રી નવરાત્રીનો પવિત્ર તહેવાર હોવાથી અમદાવાદનો ઠાકોર પરિવાર શ્રદ્ધાપૂર્વક ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને હજુ તો તેઓ 10 કિલોમીટર જ આગળ વધ્યા હતા ત્યાં જ મઘરીખડા પાસે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

4 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

4 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

4 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

4 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

4 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

4 days ago