Categories: Surendranagar

સુરેન્દ્રનગરઃ OBC અનામતમાં વધારો કરવા ભાજપ, કૉંગ્રેસ અને આપ નેતાઓ એક મંચ પર

OBC સમાજને અનામતમાં વધારો કરવા માંગ..

ભાજપ કૉંગ્રેસ અને આપ ના OBC સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં થયા એકત્રિત..

144 જાતિઓ OBC અનામતમાં આવી રહી છે..

જેને 27% અનામત આપવામાં આવી રહી છે..

ગુજરાતમાં 50% થી વધુ OBCની વસ્તી હોવાની લેખિત રજુઆત..

અનામતમાં વધારો કરવામાં આવે નહિતર આંદોલનની ચીમકી ઉચારવા માં આવી..

સુરેન્દ્રનગરમાં ઓબીસી કેટેગરીની અનામતમાં વધારાની માંગ સાથે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે જેની જેટલી આબાદી કેટલી તેની ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સમાજને વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% જેટલી અનામત આપવાની માંગ કરવામાં આવી છે અને આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ આવેદનપત્ર પહોંચાડવાની માંગ છે તે કરવામાં આવી છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 27% અનામત રાખવામાં આવ્યું છે જ્યારે અનામત લાગુ કરવામાં આવી ત્યારે ઓબીસીમાં 82 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ તેમાં ધીમે ધીમે વધારો કરતા નવી 64 જેટલી જાતિઓ ઉમેરવામાં આવી હતી અને હાલના તબક્કામાં 140 થી વધુ જાતિઓને ઓબીસી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવી છે ત્યારે હાલના તબક્કામાં તામિલનાડુમાં ઓબીસી ની વસ્તી 50% છે તેલંગાણામાં 42% છે કેરલમાં 30 % છે આંધ્ર પ્રદેશમાં 29% છે અને 1931 ની વસ્તી ગણતરી મુજબ આ રાજ્યોમાં ઓબીસીની 52% વસ્તી ધ્યાનમાં લેવામાં આવી હતી.

આ સમગ્ર બાબતને લઈ અને ઓબીસી સમાજના આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે અને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા છે અને જિલ્લા કલેકટરને મુખ્યમંત્રી મારફતે પત્ર લખી અને રજૂઆત કરી અને ઓબીસી કેટેગરીમાં વધારો કરવાની માંગ સાથે 27% ના સ્થાને 54% કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી છે જો આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઓબીસી સમાજ અને જાતિઓ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવો પડશે તેવી પણ ચીમકીઓ આપવામાં આવી છે.

ઓબીસી આયોગ ને કાનૂની દરજ્જો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી ઝડપથી પૂરી કરી અને ત્યારબાદ ઓબીસી વસ્તીની ટકાવારી મુજબ કાયમી ધોરણે અનામત આપવાની માંગ પણ કરવામાં આવી છે અલગ અલગ 18 જેટલી માંગો છે તે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સમક્ષ મૂકવામાં આવી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવાની માંગ કરવામાં આવી છે અને તાત્કાલિક ઓબીસીની જાતિઓમાં 54 ટકાની અનામત આપવાની માંગ પણ કરાઈ છે.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

8 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago