એકને ગોળ એકને ખોળની નીતિ અપનાવતા મનપા અધીકારીઓ
સુરેન્દ્રનગર નો ૬૦ ફૂટ રોડ મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક બનાવવામાં આવી રહ્યો છે.
પરંતુ આ રોડ ઉપર જ દબાણો કરવામાં આવ્યા છે..
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં આવેલ 60 ફૂટ રોડ છે તે આઈકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે અને હાલમાં તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ રોડ વિકસાવવામાં આવી રહ્યો છે 24 મીટર નો આ રોડ છે જે બંને સાઇડ 12 મીટર સેન્ટર લાઈનથી છે અને હાલમાં રોડ 11 મીટરનો બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રોડનો કામ ચાલુ છે ત્યારે દબાણ પણ દૂર કરવા માટે સ્થાનિક વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરી અને તમામ નિયમો સરખા રાખી અને તમામ ગેરકાયદેસર બાંધકામો હટાવવા માંગ કરવામાં આવી રહી છે તમામ કોમ્પ્લેક્સ શોમાં ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનો આક્ષેપ લેખિત રજૂઆત સ્વરૂપે કમિશનર સમક્ષ કરવામાં આવ્યો છે ખાસ કરીને પટેલ બોર્ડિંગ સામેના ભાગે આવેલા કોમ્પલેક્ષમાં પણ ગેરકાયદેસર બાંધકામ થયા હોવાનું લેખિતમાં કમિશનરને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે તપાસ કરી અને યોગ્ય રીતે દબાણો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
ભૂંભાણી અતુલભાઇ નામના અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી પણ વિચારવામાં આવી છે રાજકીય વર્ગ ધરાવતા અને પૈસા પાત્ર માણસો હોય તેમના દબાણનો ઈરાદાપૂર્વક દૂર નથી કરવામાં આવતા તેઓ પણ લેખિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને આ મુદ્દે કમિશનરને લેખિત અરજી કરવામાં આવી છે
24 મીટરનો આઇકોનીક રોડ અમુક જગ્યાએ 20 મીટરો થયો
શહેરના અલકાપુરી રોડથી શરુ કરાયેલ આઇકોનીક રોડ આગળ જતા અનેક મોટા માથાઓના દબાણોછે 24 મીટરની જગ્યાએ 20 મીટરનો રોડ બનેછે પરંતુ મનપા ત્યા કાર્યવાહી કરવામા આખ આડા કાન કરી રહ્યાછે અને નાના વેપારીઓના સામાન્ય ઓટલાઓ પણ નથી છોડયા લોકોની માંગ છે તમામ રોડ એક સરખો અને નીયમ મુજબ બનાવવો
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…