Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ૭૮મો હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો

સુરેન્દ્રનગર: દર વર્ષની જેમ, ૬ઠ્ઠી ડિસેમ્બરે ૭૮માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે જિલ્લા હોમગાર્ડઝ કચેરી, સુરેન્દ્રનગર ખાતે શહેર યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયા દ્વારા ધ્વજ વંદનથી કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત, શહેરમાં રૂટ માર્ચ અને બાઇક રેલીનું આયોજન પણ કરાયું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે સફાઈ અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા, જે હોમગાર્ડઝના જવાનોની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ ભવ્ય કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેર યુનિટના કુલ ૨૦૦ હોમગાર્ડઝ સભ્યોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ લલિતભાઈ ઠાકર, સ્ટાફ ઓફિસર પ્રદીપસિંહ પી. રાણા (પી.આર.ઓ.), કંપની કમાન્ડર કિશોરસિંહ જી. પરમાર, હેડ ક્લાર્ક વિજયભાઈ એસ. પરમાર, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રકટર ચંદ્રસિંહ એચ. ડોડીયા, તેમજ એન.સી.ઓઝ અને મહિલા હોમગાર્ડઝ સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આજના દિવસે જીલ્લાકક્ષા/ઝોનકક્ષા હોમગાર્ડઝ રમતોત્સવમાં વિજેતા બનેલા જવાનોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકા યુનિટોમાં પણ રૂટ માર્ચ, પ્રભાતફેરી, ધ્વજ વંદન, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન જેવા સેવા કાર્યો યોજવામાં આવ્યા હતા. જિલ્લા કમાન્ડન્ટ યોગેશભાઈ બી. પંડયાએ તમામ યુનિટ અધિકારીઓનો આ સફળ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago