સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના રાજકારણ માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની (Varshaben Doshi) ભારતીય જનતા પાર્ટીની (BJP) કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (National Vice President) તરીકે વરણી કરવામાં આવી છે.
આ પ્રથમ વખત બન્યું છે જ્યારે સુરેન્દ્રનગરના કોઈ મહિલા નેતાને રાષ્ટ્રીય સ્તરે આટલું મહત્વપૂર્ણ સ્થાન મળ્યું હોય. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીનની (Nitin Nabin) ટીમમાં પોતાની નવી જવાબદારી સંભાળશે. આ નિમણૂકથી સમગ્ર ગુજરાત ભાજપ સંગઠન અને ખાસ કરીને મહિલા મોરચામાં (Mahila Morcha) અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
વર્ષાબેન દોશીનો રાજકીય અને સામાજિક અનુભવ ખૂબ જ બહોળો અને પ્રેરણાદાયી રહ્યો છે. એક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેઓ સુરેન્દ્રનગર નગરપાલિકામાં સતત 2 ટર્મ સુધી કોર્પોરેટર (Corporator) તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ પક્ષ દ્વારા વર્ષ 2007 અને 2012 માં વઢવાણ (Wadhwan) વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવતા તેઓ વિજેતા બન્યા હતા અને વર્ષ 2017 સુધી ધારાસભ્ય (MLA) તરીકે સેવા આપી હતી.
ધારાસભ્ય પદ બાદ પણ તેમણે સંગઠનમાં સક્રિય રહીને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમના ગુજરાત ઇન્ચાર્જ તેમજ અમદાવાદ, મહેસાણા અને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે સફળ કામગીરી બજાવી છે. હાલમાં પણ તેઓ ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં (Parliamentary Board) સભ્ય તરીકે કાર્યરત છે.
રાજકારણની સાથે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન અદ્ભુત રહ્યું છે. તેમને વર્ષ 2001 માં ગુજરાત સ્ટેટ બેસ્ટ ટીચર એવોર્ડ (Best Teacher Award) અને વર્ષ 2003 માં નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તેઓ પર્યાવરણ પ્રેમી છે અને છેલ્લા 20 વર્ષથી સતત સૌથી પહેલી રાખડી વૃક્ષને બાંધીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરે છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, “નાના કાર્યકરની પણ ભાજપમાં કદર થાય છે.”
મહત્વપૂર્ણ છે કે ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ અને પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે. વર્ષ 2020 પછી પ્રથમવાર રાજ્યના 4 નેતાઓને કેન્દ્રીય સ્તરે મોટી જવાબદારી મળી છે. જેમાં ડૉ. હેમાંગ જોશીને (Dr. Hemang Joshi) યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, તેમજ જગદીશ પટેલ (Jagdish Patel) અને રોહન ગુપ્તાને (Rohan Gupta) રાષ્ટ્રીય મંત્રી બનાવાયા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…