સુરેન્દ્રનગર (Surendranagar) | વઢવાણ તાલુકાના વસ્તડી ગામે જૂની લેતીદેતીના મામલે હિંસક હુમલો (Assault) થવાની ઘટના સામે આવી છે. નવ વર્ષ પહેલાં લીધેલા પૈસા પરત ન કરી શકતા પિતા-પુત્રએ મળીને એક વ્યક્તિ પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપી છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે (Police Station) ફરિયાદ નોંધાઈ છે.
મૂળ મોટા મઢાદ ગામના અને હાલ સાયલા રહેતા દિલીપભાઈ ચિકાભાઈ રાઠોડ વસ્તડી ગામે એક લગ્ન પ્રસંગમાં (Wedding Ceremony) ગયા હતા. આ દરમિયાન ગામમાં રહેતા જોરૂભાઈ માલુભાઈ ગોહિલ અને તેમના પુત્ર મહાવિરસિંહ જોરૂભાઈ ગોહિલે ફરિયાદીને ઘરમાં બોલાવી અપશબ્દો (Abuse) બોલીને લાકડી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ (Preliminary Investigation) મુજબ, ફરિયાદીએ આશરે નવ વર્ષ પહેલાં જોરૂભાઈ પાસેથી ₹7 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી ₹2 લાખની સગવડ ન થતા તેઓ ચૂકવી શક્યા નહોતા. આ નાણાકીય મનદુઃખ રાખીને પિતા-પુત્રએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ જોરાવરનગર પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…