સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા 6 મહિનાથી મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે.
આ બિસ્માર રસ્તાના કારણે દરરોજ 10,000થી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અમિતભાઈ અને ધર્મેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, વર્ષોથી આ રસ્તો ખરાબ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેતી અને રોજગાર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં, ચોમાસામાં કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે વાહન ચલાવવું અશક્ય બની જાય છે. ઘણીવાર દર્દીઓ અને મુસાફરોને લાંબો ફેરો કરીને ગંતવ્ય સ્થાને પહોંચવું પડે છે.
જો આ 10 કિમીનો રસ્તો નવો બનાવવામાં આવે તો ટીંબા, ગોમટા, ખારવા અને બલદાણા જેવા પાંચથી વધુ ગામોના લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે હવે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…