સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગ્રામીણ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને માળોદ, વાધેલા અને ખારવા ગામને જોડતો અંદાજે 10 કિમીનો મુખ્ય રસ્તો છેલ્લા 6 મહિનાથી મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયો છે.
આ બિસ્માર રસ્તાના કારણે દરરોજ 10,000થી વધુ ગ્રામજનો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અમિતભાઈ અને ધર્મેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, વર્ષોથી આ રસ્તો ખરાબ હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેતી અને રોજગાર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં, ચોમાસામાં કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે વાહન ચલાવવું અશક્ય બની જાય છે. ઘણીવાર દર્દીઓ અને મુસાફરોને લાંબો ફેરો કરીને ગંતવ્ય સ્થાને પહોંચવું પડે છે.
જો આ 10 કિમીનો રસ્તો નવો બનાવવામાં આવે તો ટીંબા, ગોમટા, ખારવા અને બલદાણા જેવા પાંચથી વધુ ગામોના લોકોને મોટી રાહત મળી શકે તેમ છે. તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે હવે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…