Surendranagar

સુરેન્દ્રનગરના ટાગોરબાગ બગીચાના નવીનીકરણમાં રૂ.1 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

સુરેન્દ્રનગર (Surendranagar), વઢવાણ, જોરાવનગર અને રતનપર સહિત આશરે 2 લાખની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારના લોકો માટે મનોરંજનનો એકમાત્ર આશરો એવો ‘ટાગોરબાગ’ (Tagore Baug) બગીચો હાલ તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે બદહાલ સ્થિતિમાં મૂકાયો છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) બન્યા બાદ આ બગીચાના નવીનીકરણ (Development) માટે ટેન્ડર બહાર પાડીને 1 કરોડ રૂપિયાનું મસમોટું બજેટ ફાળવવામાં આવ્યું હતું. રાજકોટની એક એજન્સી દ્વારા કામગીરી પૂરી થયાનો દાવો કરીને બગીચો ખુલ્લો તો મૂકી દેવાયો છે, પરંતુ વાસ્તવિકતામાં સુવિધાના નામે મીંડું હોવાથી જનતાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

કાગળ પર લાઈટિંગ, ફૂટપાથ (Footpath) અને રમત-ગમતના સાધનો દર્શાવાયા છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ તદ્દન અલગ છે. અહીં આવતા પરિવારો માટે પીવાના શુદ્ધ પાણીની કોઈ પરબ કે શૌચાલય (Toilet) ની વ્યવસ્થા જ નથી.

બગીચાની અંદર આવેલું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, માત્ર 4 થી 5 સામાન્ય રમકડાં નાખીને 1 કરોડનું બિલ પાસ કરાવી લેવાયું હોય તેમ લાગી રહ્યું છે.

સૌથી ગંભીર બાબત એ છે કે રાત્રિના સમયે લાઈટો બંધ રહે છે અને કોઈ સિક્યુરિટી ગાર્ડ (Security Guard) પણ હોતો નથી. અંધારાનો લાભ લઈને અહીં આવારા તત્વો અસામાજિક પ્રવૃત્તિઓ માટે જમાવડો કરે છે, જેના કારણે મહિલાઓ અને બાળકો સુરક્ષાને લઈને ભારે ચિંતામાં છે.

આ ગંભીર ભ્રષ્ટાચાર અને લાપરવાહી અંગે સુરેન્દ્રનગર મનપાના મેયર (Mayor) રાકેશ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે બગીચામાં સુવિધાઓનો અભાવ છે.

તેમણે ઉમેર્યું કે સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને તેડું મોકલાયું છે અને ટેન્ડર (Tender) ની શરતો મુજબ કામ પૂરું કરવા કડક આદેશ અપાયા છે. જો એજન્સી નિયમોનું પાલન નહીં કરે તો તેને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ (Blacklist) કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago