Surendranagar

રાજકોટ-વિરમગામ રૂટની બસ ડેપોમાં જ બંધ પડી : કાળઝાળ ગરમીમાં મુસાફરોએ ધક્કો મારી શરૂ કરી

સુરેન્દ્રનગર (Surendranagar) એસટી બસ સ્ટેન્ડમાં આજે એસટી નિગમની ‘સલામત સવારી, એસટી અમારી’ના સૂત્રના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રાજકોટ (Rajkot) તરફથી આવીને વિરમગામ (Viramgam) જઈ રહેલી એક એસટી બસ પ્લેટફોર્મ નંબર 1 (One) પર અચાનક બંધ પડી ગઈ હતી. બપોરના સમયે જ્યારે તાપમાન ઊંચું હતું, ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

બપોરના કાળઝાળ તાપમાં (Heat) લાંબા સમય સુધી બસ શરૂ ન થતા આખરે અંદર બેઠેલા મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે, બસને ચાલુ કરવા માટે કોઈ મિકેનિક કે અન્ય વ્યવસ્થાને બદલે મુસાફરોએ જ મહેનત કરવી પડી હતી. ગરમીમાં પરસેવે રેબઝેબ થયેલા મુસાફરોએ ભેગા મળીને બસને જોરદાર ધક્કો (Push) મારતા બસ પુનઃ શરૂ થઈ હતી અને ત્યારબાદ તે વિરમગામ તરફ રવાના થઈ હતી.

રાજ્ય પરિવહન નિગમ (GSRTC) દ્વારા અવારનવાર નવી બસો ફાળવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ અનેક ખખડધજ અને જર્જરિત બસો (Broken Buses) રસ્તા પર દોડી રહી છે. મુસાફરોમાં એસટી તંત્રની આ ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોની માંગ છે કે આવી ભંગાર બસોનું યોગ્ય સમારકામ કરવામાં આવે અથવા તેને રૂટ પરથી તાત્કાલિક હટાવવામાં આવે, જેથી મુસાફરોને આવી શારીરિક અને માનસિક હાલાકી ભોગવવી ન પડે.

user 2

Recent Posts

લીંબડીના રળોલ ગામે LCBનો દરોડો, 7 જુગારી ઝડપાયા

Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…

1 day ago

લીંબડીના બોરાણા ગામે જુગાર રમતાં બે શખ્સ ઝડપાયા, નવ નાસી છુટયા

Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…

1 day ago

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

2 days ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

2 days ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

2 days ago