કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં (Budget) શ્રમિકો માટે કોઈ નવી યોજનાઓ કે હિતકારી જાહેરાતો કરવામાં ન આવતા શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય મજદૂર સંઘે (BMS) ગંભીર આક્ષેપ કર્યો છે કે બજેટમાં શ્રમિક વર્ગના વિકાસની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે સંઘ દ્વારા હવે લડાયક મૂડ અપનાવવામાં આવ્યો છે અને આગામી 25 ફેબ્રુઆરીના (25 February) રોજ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી (Collector Office) સામે વિશાળ ધરણા પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વિરોધ પ્રદર્શનમાં માત્ર એક સંગઠન નહીં, પરંતુ એસટી (ST) વિભાગ, પાણી પુરવઠા, પીજીવીસીએલ (PGVCL), પોસ્ટ (Post) અને મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાવાના છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકર (Anganwadi Workers), આશા વર્કર અને મધ્યાહન ભોજન વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી પોતાનો વિરોધ નોંધાવશે. શ્રમિક સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર (Memorandum) પાઠવવામાં આવશે.
શ્રમિકોની મુખ્ય માંગણી છે કે સરકાર તેમના કલ્યાણ માટે વિચારણા કરી બજેટમાં યોગ્ય જોગવાઈઓ કરે અને હિતકારી યોજનાઓ તાત્કાલિક અમલી બનાવે. શ્રમિક નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની વાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં આ આંદોલન (Agitation) વધુ તેજ બનાવવામાં આવશે. આ ધરણા કાર્યક્રમને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ (Alert) થઈ ગયું છે.
Limbdi Gambling Raid | સુરેન્દ્રનગર એલસીબી ટીમે (Surendranagar LCB) પાણશીણા પોલીસ સ્ટેશન (Panshina Police Station) વિસ્તારમાં…
Limbdi Gambling Raid | લીંબડીના બોરાણા ગામે તળાવની બાજુમાં વડોદ ગામે જવાના માર્ગે જાહેરમાં અમુક શખ્સો…
GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…
PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…
Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…