Surendranagar Sowing Delay | સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે વાવેતરની કામગીરી અટકી પડી છે, જેને લીધે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે. ગત વર્ષ 2025 માં 15 જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું હોવાથી ખેડૂતોએ વહેલું વાવેતર શરૂ કરી દીધું હતું.
જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, 19 જૂન 2025 સુધીમાં જિલ્લામાં કુલ 2.14 લાખ હેક્ટર જમીન પર વાવેતર થઈ ચૂક્યું હતું, જેની સામે 19 જૂન 2026 સુધીમાં માત્ર 1.17 લાખ હેક્ટર જમીન પર જ વાવેતર નોંધાયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ વાવેતરમાં 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે.
જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અને બીજી તરફ કેનાલોમાં સિંચાઈ કે પિયત માટે જરૂરી પાણી છોડવામાં આવ્યું નથી. ગ્રામીણ વિસ્તારોના સ્થાનિક ડેમ અને તળાવો પણ ખાલીખમ હોવાથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થાય છે. પરંતુ હાલ પિયતના પાણીના અભાવે હજારો હેક્ટર જમીન કોરી પડી છે.
ખેતરો સુકાભઠ્ઠ હોવાથી અને યોગ્ય સિંચાઈ વ્યવસ્થા ન મળતા હાલમાં વાવેતરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…