Surendranagar

સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા વાવેતરમાં 97,000 હેક્ટરનો ઘટાડો, ખેડૂતો ચિંતિત

Surendranagar Sowing Delay | સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે વાવેતરની કામગીરી અટકી પડી છે, જેને લીધે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે. ગત વર્ષ 2025 માં 15 જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું હોવાથી ખેડૂતોએ વહેલું વાવેતર શરૂ કરી દીધું હતું.

જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, 19 જૂન 2025 સુધીમાં જિલ્લામાં કુલ 2.14 લાખ હેક્ટર જમીન પર વાવેતર થઈ ચૂક્યું હતું, જેની સામે 19 જૂન 2026 સુધીમાં માત્ર 1.17 લાખ હેક્ટર જમીન પર જ વાવેતર નોંધાયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલ વાવેતરમાં 97,000 હેક્ટરનો મોટો ઘટાડો નોંધાયો છે.

જિલ્લામાં હજુ સુધી પૂરતો વરસાદ પડ્યો નથી અને બીજી તરફ કેનાલોમાં સિંચાઈ કે પિયત માટે જરૂરી પાણી છોડવામાં આવ્યું નથી.  ગ્રામીણ વિસ્તારોના સ્થાનિક ડેમ અને તળાવો પણ ખાલીખમ હોવાથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થાય છે. પરંતુ હાલ પિયતના પાણીના અભાવે હજારો હેક્ટર જમીન કોરી પડી છે.

ખેતરો સુકાભઠ્ઠ હોવાથી અને યોગ્ય સિંચાઈ વ્યવસ્થા ન મળતા હાલમાં વાવેતરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago