સુરેન્દ્રનગર જિલ્લામાં બાકી વીજ બિલ ન ભરતા ગ્રાહકો સામે PGVCL વિભાગ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા કુલ 254 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી લેણાંની વસૂલાત કરી રહી છે.
અત્યાર સુધીમાં 4,126 જેટલા ગ્રાહકો પાસેથી અંદાજે 1.75 કરોડ રૂપિયાની બાકી વસૂલાત કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જે ગ્રાહકોએ વારંવારની સૂચના છતાં બિલની ચુકવણી કરી નથી, તેવા 87 જેટલા ગ્રાહકોના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે. PGVCL ના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ 25% સુધી પહોંચી ગયું છે, જે ચિંતાનો વિષય છે. હવે જે ગ્રાહકોના કનેક્શન કપાયા છે, તેમણે નવું કનેક્શન લેવા માટે દંડ ભરવો પડશે અને ફરજિયાતપણે Smart Meter નંખાવવું પડશે. તંત્ર દ્વારા તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર બિલ ભરીને કાયદેસરની કાર્યવાહીથી બચે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…