Surendranagar

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીનો રૂ.42 કરોડનો બાકી વેરો વસૂલવા નોટિસ

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીનો રૂ.42.56 કરોડનો બાકી વેરો વસૂલવા માટે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. તેમજ સમયસર નાણાં નહીં ભરાય તો કચેરીઓ સીલ કરવાની મનપાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે 120 કરોડની વસૂલાત માટે મનપાએ સંકજો કસ્યો છે. અત્યાર સુધીમાં 2200થી વધુ મિલકત ધારકોને નોટિસો અપાઈ અને 50 જેટલી મિકત સીલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત મુદ્દે હવે ‘યુદ્ધના ધોરણે’ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી માત્ર સામાન્ય નાગરિકો અને કોમશયલ એકમો સામે જ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે પાલિકાએ સરકારી મિલકતો પર પણ સકંજો કસ્યો છે. શહેરમાં આવેલી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, કોર્ટ બિલ્ડિંગ, પોલીસ ક્વાટર્સ અને સકટ હાઉસ જેવી કુલ 473 સરકારી કચેરીઓનો આશરે રૂ. 42 કરોડ 56 લાખનો મસમોટો ટેક્સ બાકી છે.

માર્ચ મહિનો નજીક આવતા જ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ તમામ કચેરીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેણાંક અને કોમશયલ એકમોનો કુલ 120 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ માતબર રકમની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા 22 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીથી સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઈ છે. સામાન્ય જનતા પાસેથી કડક ઉઘરાણી કરતું તંત્ર હવે સરકારી કચેરીઓ સામે પણ લાલ આંખ કરી રહ્યું હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ટેક્સ અધિકારી મહોબતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2200 જેટલા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસો, વન વિભાગ, સરકારી શાળાઓ, લાઇબ્રેરી અને બાળ અદાલતોનો પણ સમાવેશ થાય છે. જો નિયત સમયમાં વેરો નહીં ભરાય તો આ સરકારી કચેરીઓને પણ સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago