સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી સહિત 473 સરકારી કચેરીનો રૂ.42.56 કરોડનો બાકી વેરો વસૂલવા માટે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે. તેમજ સમયસર નાણાં નહીં ભરાય તો કચેરીઓ સીલ કરવાની મનપાની ચીમકી પણ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે 120 કરોડની વસૂલાત માટે મનપાએ સંકજો કસ્યો છે. અત્યાર સુધીમાં 2200થી વધુ મિલકત ધારકોને નોટિસો અપાઈ અને 50 જેટલી મિકત સીલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત મુદ્દે હવે ‘યુદ્ધના ધોરણે’ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી માત્ર સામાન્ય નાગરિકો અને કોમશયલ એકમો સામે જ કાર્યવાહી થતી હતી, પરંતુ હવે પાલિકાએ સરકારી મિલકતો પર પણ સકંજો કસ્યો છે. શહેરમાં આવેલી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, કોર્ટ બિલ્ડિંગ, પોલીસ ક્વાટર્સ અને સકટ હાઉસ જેવી કુલ 473 સરકારી કચેરીઓનો આશરે રૂ. 42 કરોડ 56 લાખનો મસમોટો ટેક્સ બાકી છે.
માર્ચ મહિનો નજીક આવતા જ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આ તમામ કચેરીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેણાંક અને કોમશયલ એકમોનો કુલ 120 કરોડથી વધુનો ટેક્સ બાકી છે. આ માતબર રકમની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા 22 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીથી સરકારી વિભાગોમાં દોડધામ મચી ગઈ છે. સામાન્ય જનતા પાસેથી કડક ઉઘરાણી કરતું તંત્ર હવે સરકારી કચેરીઓ સામે પણ લાલ આંખ કરી રહ્યું હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ટેક્સ અધિકારી મહોબતસિંહ પરમારે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 2200 જેટલા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે. જેમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસો, વન વિભાગ, સરકારી શાળાઓ, લાઇબ્રેરી અને બાળ અદાલતોનો પણ સમાવેશ થાય છે. જો નિયત સમયમાં વેરો નહીં ભરાય તો આ સરકારી કચેરીઓને પણ સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…