સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાનારી પ્રથમ ઐતિહાસિક ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શહેરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ટિકિટ મેળવવા કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાજપના નિરીક્ષકો સમક્ષ 450 થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે મનપાના પ્રથમ બોર્ડમાં સ્થાન મેળવવા માટે પક્ષમાં રહેલી ભારે સ્પર્ધા દર્શાવે છે. ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને શિક્ષિત યુવા ચહેરાઓનો જમાવડો જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગરના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 31 વર્ષમાં 5 વખત ભાજપે સત્તા સંભાળી છે, જ્યારે માત્ર 1 વાર કોંગ્રેસનું બોર્ડ બન્યું છે.
જોકે, ભૂતકાળમાં 1997નો બળવો અને 2007માં ‘નો-રિપીટ’ થિયરીને કારણે ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. આ વખતે પ્રથમ મનપાની ચૂંટણી હોવાથી પ્રદેશ નેતૃત્વ માટે 450 દાવેદારોમાંથી 52 સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરો, જનતામાં લોકપ્રિયતા અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આખરી યાદી તૈયાર કરવામાં આવશે. પ્રથમ બોર્ડ કબજે કરવા માટે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી અને મજબૂત પેનલ ઉતારવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…