Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વિકાસ કામો માટે 55 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ

ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કાર્યો માટે ૫૫ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે શહેરોમાં સ્વચ્છતા અને રસ્તાના કામોની ગુણવત્તા બાબતે વહીવટી તંત્રને કડક ચેતવણી આપી છે. સુરેન્દ્રનગરના હોદ્દેદારો અને અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજર રહીને શહેરના વિકાસ માટે ફાળવાયેલી આ ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો હતો.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કુલ 3,850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિતરણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને પણ વિકાસના કામો અર્થે 55 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ ગ્રાન્ટની રકમમાંથી સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોની સુવિધા માટેના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ અને અન્ય આંતર માળખાકીય સવલતોનો સમાવેશ થાય છે.

આ સમારોહમાં મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો અને વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે શહેરોમાં સ્વચ્છતાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.

જો શહેરી વિસ્તારોમાં યોગ્ય રીતે સ્વચ્છતા નહીં જળવાય તો ભવિષ્યમાં ગ્રાન્ટ અટકાવી દેવા સુધીનાં પગલાં લેવામાં આવશે તેવી આકરી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી.

ચોમાસામાં રસ્તાઓના ધોવાણ અને ખરાબ હાલત અંગે પણ ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને કમિશનરથી લઈને ચીફ ઓફિસર સુધીના તમામ અધિકારીઓએ જાતે સાઈટ વિઝિટ કરી ચાલી રહેલા વિકાસ કાર્યોની સીધી દેખરેખ રાખવી પડશે.

આ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નાણામંત્રી અને કૃષિ મંત્રી સહિત રાજ્ય સરકારના અન્ય પ્રધાનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી વિકાસ કાર્યો માટેનો આ ગ્રાન્ટનો ચેક સ્વીકારવા માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા, મનપા કમિશનર જે. કે. જાદવ, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી સહિતની ટીમ હાજર રહી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago