MP Chandu Sihora
MP Chandu Sihora Raise Agariyas Question in Lok Sabha | સુરેન્દ્રનગર જિલ્લામાં 19 માર્ચના રોજ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા 2,500થી વધુ અગરિયાઓને વ્યાપક નુકસાન થયું છે. આ ગંભીર મુદ્દે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરાએ લોકસભામાં રજૂઆત કરી અગરિયાઓના હિતમાં અવાજ ઉઠાવ્યો છે.
વાવાઝોડામાં અગરિયાઓની સોલાર પેનલો, ઝૂંપડા અને ઘરવખરી તણાઈ જવાની સાથે આખા વર્ષની મહેનત સમાન મીઠાના પાટાઓમાં માટી ભળી જતાં આર્થિક પાયમાલી સર્જાઈ છે. સાંસદ દ્વારા લોકસભામાં માંગ કરવામાં આવી છે કે, ખેડૂતોની જેમ અગરિયાઓને પણ 3 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશો બદલ તેમનો આભાર માની, કેન્દ્ર સરકાર પાસે પણ વળતરની અપેક્ષા વ્યક્ત કરી છે. બીજી તરફ, સ્થાનિક અગરિયાઓએ પણ તંત્ર દ્વારા ચાલી રહેલા સર્વેમાં કોઈ વિઘ્ન ન નાખવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ગુજરાતના કુલ મીઠાના ઉત્પાદનમાં 80% હિસ્સો આપતા આ રણ પ્રદેશના શ્રમિકોને વહેલી તકે સહાય મળે તે માટે અત્યારે વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…