Surendranagar

Video: સાંસદ ચંદુભાઇ સિહોરાએ લોકસભામાં અગરિયાઓનો પ્રશ્ન ઉઠવ્યો, વળતર અને વ્યાજમુક્ત લોનની માંગ કરી

MP Chandu Sihora Raise Agariyas Question in Lok Sabha | સુરેન્દ્રનગર જિલ્લામાં 19 માર્ચના રોજ થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રણમાં મીઠું પકવતા 2,500થી વધુ અગરિયાઓને વ્યાપક નુકસાન થયું છે. આ ગંભીર મુદ્દે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરાએ લોકસભામાં રજૂઆત કરી અગરિયાઓના હિતમાં અવાજ ઉઠાવ્યો છે.

વાવાઝોડામાં અગરિયાઓની સોલાર પેનલો, ઝૂંપડા અને ઘરવખરી તણાઈ જવાની સાથે આખા વર્ષની મહેનત સમાન મીઠાના પાટાઓમાં માટી ભળી જતાં આર્થિક પાયમાલી સર્જાઈ છે. સાંસદ દ્વારા લોકસભામાં માંગ કરવામાં આવી છે કે, ખેડૂતોની જેમ અગરિયાઓને પણ 3 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે.

આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશો બદલ તેમનો આભાર માની, કેન્દ્ર સરકાર પાસે પણ વળતરની અપેક્ષા વ્યક્ત કરી છે. બીજી તરફ, સ્થાનિક અગરિયાઓએ પણ તંત્ર દ્વારા ચાલી રહેલા સર્વેમાં કોઈ વિઘ્ન ન નાખવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ગુજરાતના કુલ મીઠાના ઉત્પાદનમાં 80% હિસ્સો આપતા આ રણ પ્રદેશના શ્રમિકોને વહેલી તકે સહાય મળે તે માટે અત્યારે વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago