સુરેન્દ્રનગર: ઉનાળાના પ્રારંભે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. શહેરના વોર્ડ નંબર ૦૧ માં આવેલ ફિરદોષ સોસાયટી વિસ્તારના સરકારી આવાસ (Four-Storey Housing) માં રહેતા ગરીબ પરિવારો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે રોષે ભરાયેલા રહીશો અને મહિલાઓએ મનપા કચેરી ખાતે હલ્લાબોલ (Protest) કર્યો હતો.
સ્થાનિક રહીશોએ ખાલી ડોલ અને વાસણો સાથે “મનપા હાય-હાય” ના ઉગ્ર સૂત્રોચ્ચાર (Slogans) કરી પોતાનો વિરોધ પ્રદર્શન (Demonstration) નોંધાવ્યો હતો. આવાસમાં રહેતા ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ બહારથી પાણી વેચાતું લેવા અસમર્થ છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મનપા દ્વારા પ્રાથમિક સુવિધાઓ (Basic Amenities) ના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ગરીબ પરિવારો પાણી વગર હાલાકી ભોગવી રહ્યા છે.
આ મામલે રહીશોએ ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની તંગીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અંતે, ડેપ્યુટી કમિશનરે રહીશોની રજૂઆત સાંભળી પાણીની સમસ્યાનો તાત્કાલિક અને ઝડપી ઉકેલ (Quick Solution) લાવવાની ખાતરી આપી હતી, જેના પગલે મામલો થાળે પડ્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…