સમાજ સેવા અને દીકરીઓના કલ્યાણ માટે જ્યારે કોઈ વ્યક્તિ દ્રઢ સંકલ્પ કરે છે, ત્યારે તે આખા સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે. અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને હસ્તી પ્રેટ્રો કેમીકલ & શીપીગ લીમીટેડ ડાયરેક્ટર ના ડાયરેક્ટર નરેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિ અને તેમના ધર્મપત્ની હિનાબેન પ્રજાપતિ છેલ્લા એક દાયકાથી સેવાનો અવિરત યજ્ઞ ચલાવી રહ્યા છે.
11 વર્ષથી અવિરત સેવા યજ્ઞ નરેશભાઈ છેલ્લા 11 વર્ષથી પ્રજાપતિ સમાજમાં યોજાતા સમૂહ લગ્નો (Mass Marriage) માં દીકરીઓને ઉપયોગી ભેટ આપી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે સમાજની અંદાજે 900 થી વધુ દીકરીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે વિવિધ ભેટ અર્પણ કરી છે.
દરેક દીકરીને 200 લિટરનું બ્રાન્ડેડ ફ્રિજ હાલમાં નરેશભાઈ દ્વારા સમૂહ લગ્ન પ્રસંગે દરેક દીકરીને 200 લિટરનું બ્રાન્ડેડ ફ્રિજ (Branded Fridge) ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. દીકરીના નવા સંસારની શરૂઆતમાં આ એક મોટો ટેકો સાબિત થાય છે. માત્ર ભેટ સોગાદો જ નહીં, પરંતુ સમાજના કોઈપણ સેવાકીય કાર્યોમાં નરેશભાઈ હંમેશા અગ્રેસર રહીને પોતાની સામાજિક જવાબદારી (Social Responsibility) નિભાવે છે.
મધ્યમવર્ગીય પરિવારો માટે મોટી રાહત નરેશભાઈની આ ઉમદા ભાવના અન્ય દાતાઓ અને યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ કામગીરીને પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. તેમના આ નિઃસ્વાર્થ કાર્યોથી અનેક મધ્યમવર્ગીય પરિવારોને દીકરીઓના લગ્ન પ્રસંગે મોટી આર્થિક રાહત મળી રહી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…