સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ના ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓની જીદ અને બેદરકારીને કારણે સમગ્ર શહેરમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટ એજન્સીને જરૂરી ‘વર્ક ઓર્ડર’ (Work Order) ન મળતા બીજા દિવસે પણ 30 જેટલા કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. આ હડતાળને (Strike) કારણે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર અને રતનપરના મુખ્ય માર્ગોની સ્ટ્રીટ લાઈટો બંધ રહી હતી.
કર્મચારીઓનો મુખ્ય વિરોધ વીમા કવચ (Insurance Cover) વિના જોખમી કામગીરી કરવા બાબતે છે. કોન્ટ્રાક્ટ એજન્સીના જણાવ્યા મુજબ, કર્મચારીઓનો વીમો ઉતારવા માટે મનપાનો સત્તાવાર ‘વર્ક ઓર્ડર’ હોવો અનિવાર્ય છે. અત્યાર સુધી કર્મચારીઓ જીવના જોખમે પોલ પર ચડીને કામ કરતા હતા, પરંતુ હવે વીમા વિના કામ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. એજન્સીનો પ્રશ્ન છે કે જો કામ દરમિયાન કોઈ દુર્ઘટના (Accident) સર્જાય તો તેની જવાબદારી કોની?
હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની 100 થી વધુ ફરિયાદો મળી છે, છતાં ટેકનિકલ આદેશના અભાવે સમારકામ અટકી પડ્યું છે. અધિકારીઓ અને એજન્સી વચ્ચેની આ ખેંચતાણમાં સામાન્ય નાગરિકોને રાત્રિના સમયે અંધારામાં અથડાવવાનો વારો આવ્યો છે. જો વહેલી તકે વીમા પ્રક્રિયા અને વર્ક ઓર્ડરનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો શહેરમાં સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…