Categories: Surendranagar

ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષે આયોજિત થતા ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ૧૪મા સમૂહલગ્નમાં ૩૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ત્યારે આ જ મંચ પરથી આગામી ૧૫મા સમૂહલગ્ન માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામના ગાયત્રી કેટરર્સવાળા લક્ષ્મણભાઈ મેણીયા, અલ્પેશભાઈ મેણીયા અને હસમુખભાઈ મેણીયા પરિવારે આવતા વર્ષના સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે.

આ જાહેરાત મુજબ, આગામી વર્ષે તમામ દીકરીઓનો સંપૂર્ણ કરિયાવર, હજારો લોકોનું ભોજન, મંડપ વ્યવસ્થા, સાઉન્ડ તેમજ લગ્ન પ્રસંગે થનારા તમામ નાના-મોટા ખર્ચ મેણીયા પરિવાર તરફથી કરવામાં આવશે. સમાજના હિતમાં લેવાયેલા આ મોટા નિર્ણયને મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ હૃદયપૂર્વક વધાવ્યો હતો અને અલ્પેશભાઈ મેણીયાનું વિશેષ સન્માન કર્યું હતું.

પ્રજાપતિ સમાજના દરેક સેવાકીય કાર્યોમાં મેણીયા પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે. ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ તે કહેવત મુજબ લક્ષ્મણભાઈના બંને પુત્રો હસમુખભાઈ અને અલ્પેશભાઈ પણ પિતાના પગલે ચાલીને સમાજસેવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. આ જાહેરાતથી સમગ્ર પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago