Categories: Surendranagar

ગાંધીધામના મેણીયા પરિવારની ઉમદા જાહેરાત: સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના ૧૫મા સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ લક્ષ્મણભાઈ મેણીયા ભોગવશે

દીકરીઓના કરિયાવરથી લઈ ભોજન અને મંડપ સુધીનો તમામ ખર્ચ મેણીયા પરિવાર દ્વારા કરાશે; સેવાકીય કાર્યને પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ વધાવ્યું

શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા દર વર્ષે આયોજિત થતા ભવ્ય સમૂહલગ્ન મહોત્સવમાં સેવા અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે ૧૪મા સમૂહલગ્નમાં ૩૭ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, ત્યારે આ જ મંચ પરથી આગામી ૧૫મા સમૂહલગ્ન માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીધામના ગાયત્રી કેટરર્સવાળા લક્ષ્મણભાઈ મેણીયા, અલ્પેશભાઈ મેણીયા અને હસમુખભાઈ મેણીયા પરિવારે આવતા વર્ષના સમૂહલગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે.

આ જાહેરાત મુજબ, આગામી વર્ષે તમામ દીકરીઓનો સંપૂર્ણ કરિયાવર, હજારો લોકોનું ભોજન, મંડપ વ્યવસ્થા, સાઉન્ડ તેમજ લગ્ન પ્રસંગે થનારા તમામ નાના-મોટા ખર્ચ મેણીયા પરિવાર તરફથી કરવામાં આવશે. સમાજના હિતમાં લેવાયેલા આ મોટા નિર્ણયને મંડળના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદીપભાઈ માથરોટીયાએ હૃદયપૂર્વક વધાવ્યો હતો અને અલ્પેશભાઈ મેણીયાનું વિશેષ સન્માન કર્યું હતું.

પ્રજાપતિ સમાજના દરેક સેવાકીય કાર્યોમાં મેણીયા પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે. ‘મોરના ઈંડાને ચીતરવા ન પડે’ તે કહેવત મુજબ લક્ષ્મણભાઈના બંને પુત્રો હસમુખભાઈ અને અલ્પેશભાઈ પણ પિતાના પગલે ચાલીને સમાજસેવામાં પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. આ જાહેરાતથી સમગ્ર પ્રજાપતિ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago