Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

ચૂંટણી જીતીશું તો નામ બદલીશું’: કમલેશ કોટેચાનો વિડીયો વાયરલ, વઢવાણના મતદારોને રીજવવા ‘આપ’નો ખેલ ખુલ્લો પડ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ટુક સમયમા આવી રહીછે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ દ્વારા મત મેળવવા માટે કરવામાં આવી રહેલી ફાકા ફોજદારી હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ‘આપ’ના નેતા કમલેશ કોટેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યા ની ચર્ચાઓ શહેરમા ચાલી રહીછે અગાઉ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે તેનું નામ ‘સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા’ હતું. જોકે, મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું સત્તાવાર નામકરણ ‘સુરેન્દ્રનગર મહાનગરપાલિકા’ કરવામાં આવ્યું હતુ એ સમયે આપના કાર્યકરોને સુરાતન ચડયુ અને મહાનગરપાલિકાના નામમાં ‘વઢવાણ’ શબ્દ ઉમેરવા માટે શહેરના ૫ થી ૭ લોકોએ રજુઆતો બેઠકો મીટીગો કરી જોરશોરથી વિરોધ કર્યો જેમા એમની પડખે કોઇ ન આવ્યુ આઅચાનક સુરાતન ચડ્યું હતું, જેમાં આશ્ચર્યજનક રીતે 3 થી 4 જેટલા ‘આપ’ના નેતાઓ સામેલ હતા.હવે એવાતને આજે એક વર્ષ જેટલો સમય વિતીગયો હવે ચુટણી નજીક આવતા

‘આપ’ના નેતા કમલેશ કોટેચાએ સોશિયલ મીડિયામાં બફાટ કરતા દાવો કર્યો છે કે, “જો અમે ચૂંટણી જીતીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલી નાખીશું.” અને પ્રથમ બોર્ડની બેઠકમા ઠરાવ કરીને નામમા ફેરફાર થાય એવો પ્રયત્ન કરીશુ ખરેખર વાસ્તવિકતા શું છે?: કાયદાકીય દ્રષ્ટિએ જોતા, કોઈપણ મહાનગરપાલિકા કે શહેરનું નામ બદલવાની સત્તા ચૂંટાયેલી બોડી પાસે હોતી નથી, પરંતુ તે રાજ્ય સરકારનો વિષય છે.મતદારોને ઊંધા રવાડે ચડાવવાનો તાલ સર્જાયોછે જાણકારોના મતે, આ માત્ર વઢવાણ વિસ્તારના મતદારોને રીજવવા અને લાગણી ઉશ્કેરવા માટેનો ખેલ છે. જેના સત્તા ના ઠેકાણાનથી

મનપાના હાથમાં છે જ નહીં, તેના વચનો આપીને ‘આપ’ના નેતાઓ મતદારોને ઊંધા રવાડે ચડાવી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે.ચુટણી ગમેએ જીતે બોર્ડી કોઇપણ પાર્ટીની બને પરંતુ નામચેન્જ કરવુ એતો સરકારના હાથમાછે હાલતો આપના નેતાનો ચુટણી નજીક આવતા આ વિડીયો થકી લોકોમા અનેક ચર્ચાઓ થય રહીછે

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago