Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

ચૂંટણી જીતીશું તો નામ બદલીશું’: કમલેશ કોટેચાનો વિડીયો વાયરલ, વઢવાણના મતદારોને રીજવવા ‘આપ’નો ખેલ ખુલ્લો પડ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ટુક સમયમા આવી રહીછે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ દ્વારા મત મેળવવા માટે કરવામાં આવી રહેલી ફાકા ફોજદારી હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ‘આપ’ના નેતા કમલેશ કોટેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યા ની ચર્ચાઓ શહેરમા ચાલી રહીછે અગાઉ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે તેનું નામ ‘સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા’ હતું. જોકે, મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું સત્તાવાર નામકરણ ‘સુરેન્દ્રનગર મહાનગરપાલિકા’ કરવામાં આવ્યું હતુ એ સમયે આપના કાર્યકરોને સુરાતન ચડયુ અને મહાનગરપાલિકાના નામમાં ‘વઢવાણ’ શબ્દ ઉમેરવા માટે શહેરના ૫ થી ૭ લોકોએ રજુઆતો બેઠકો મીટીગો કરી જોરશોરથી વિરોધ કર્યો જેમા એમની પડખે કોઇ ન આવ્યુ આઅચાનક સુરાતન ચડ્યું હતું, જેમાં આશ્ચર્યજનક રીતે 3 થી 4 જેટલા ‘આપ’ના નેતાઓ સામેલ હતા.હવે એવાતને આજે એક વર્ષ જેટલો સમય વિતીગયો હવે ચુટણી નજીક આવતા

‘આપ’ના નેતા કમલેશ કોટેચાએ સોશિયલ મીડિયામાં બફાટ કરતા દાવો કર્યો છે કે, “જો અમે ચૂંટણી જીતીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલી નાખીશું.” અને પ્રથમ બોર્ડની બેઠકમા ઠરાવ કરીને નામમા ફેરફાર થાય એવો પ્રયત્ન કરીશુ ખરેખર વાસ્તવિકતા શું છે?: કાયદાકીય દ્રષ્ટિએ જોતા, કોઈપણ મહાનગરપાલિકા કે શહેરનું નામ બદલવાની સત્તા ચૂંટાયેલી બોડી પાસે હોતી નથી, પરંતુ તે રાજ્ય સરકારનો વિષય છે.મતદારોને ઊંધા રવાડે ચડાવવાનો તાલ સર્જાયોછે જાણકારોના મતે, આ માત્ર વઢવાણ વિસ્તારના મતદારોને રીજવવા અને લાગણી ઉશ્કેરવા માટેનો ખેલ છે. જેના સત્તા ના ઠેકાણાનથી

મનપાના હાથમાં છે જ નહીં, તેના વચનો આપીને ‘આપ’ના નેતાઓ મતદારોને ઊંધા રવાડે ચડાવી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે.ચુટણી ગમેએ જીતે બોર્ડી કોઇપણ પાર્ટીની બને પરંતુ નામચેન્જ કરવુ એતો સરકારના હાથમાછે હાલતો આપના નેતાનો ચુટણી નજીક આવતા આ વિડીયો થકી લોકોમા અનેક ચર્ચાઓ થય રહીછે

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

10 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

23 hours ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

23 hours ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

23 hours ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

23 hours ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

4 days ago