Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

ચૂંટણી જીતીશું તો નામ બદલીશું’: કમલેશ કોટેચાનો વિડીયો વાયરલ, વઢવાણના મતદારોને રીજવવા ‘આપ’નો ખેલ ખુલ્લો પડ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ટુક સમયમા આવી રહીછે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ દ્વારા મત મેળવવા માટે કરવામાં આવી રહેલી ફાકા ફોજદારી હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ‘આપ’ના નેતા કમલેશ કોટેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યા ની ચર્ચાઓ શહેરમા ચાલી રહીછે અગાઉ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે તેનું નામ ‘સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા’ હતું. જોકે, મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું સત્તાવાર નામકરણ ‘સુરેન્દ્રનગર મહાનગરપાલિકા’ કરવામાં આવ્યું હતુ એ સમયે આપના કાર્યકરોને સુરાતન ચડયુ અને મહાનગરપાલિકાના નામમાં ‘વઢવાણ’ શબ્દ ઉમેરવા માટે શહેરના ૫ થી ૭ લોકોએ રજુઆતો બેઠકો મીટીગો કરી જોરશોરથી વિરોધ કર્યો જેમા એમની પડખે કોઇ ન આવ્યુ આઅચાનક સુરાતન ચડ્યું હતું, જેમાં આશ્ચર્યજનક રીતે 3 થી 4 જેટલા ‘આપ’ના નેતાઓ સામેલ હતા.હવે એવાતને આજે એક વર્ષ જેટલો સમય વિતીગયો હવે ચુટણી નજીક આવતા

‘આપ’ના નેતા કમલેશ કોટેચાએ સોશિયલ મીડિયામાં બફાટ કરતા દાવો કર્યો છે કે, “જો અમે ચૂંટણી જીતીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલી નાખીશું.” અને પ્રથમ બોર્ડની બેઠકમા ઠરાવ કરીને નામમા ફેરફાર થાય એવો પ્રયત્ન કરીશુ ખરેખર વાસ્તવિકતા શું છે?: કાયદાકીય દ્રષ્ટિએ જોતા, કોઈપણ મહાનગરપાલિકા કે શહેરનું નામ બદલવાની સત્તા ચૂંટાયેલી બોડી પાસે હોતી નથી, પરંતુ તે રાજ્ય સરકારનો વિષય છે.મતદારોને ઊંધા રવાડે ચડાવવાનો તાલ સર્જાયોછે જાણકારોના મતે, આ માત્ર વઢવાણ વિસ્તારના મતદારોને રીજવવા અને લાગણી ઉશ્કેરવા માટેનો ખેલ છે. જેના સત્તા ના ઠેકાણાનથી

મનપાના હાથમાં છે જ નહીં, તેના વચનો આપીને ‘આપ’ના નેતાઓ મતદારોને ઊંધા રવાડે ચડાવી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે.ચુટણી ગમેએ જીતે બોર્ડી કોઇપણ પાર્ટીની બને પરંતુ નામચેન્જ કરવુ એતો સરકારના હાથમાછે હાલતો આપના નેતાનો ચુટણી નજીક આવતા આ વિડીયો થકી લોકોમા અનેક ચર્ચાઓ થય રહીછે

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago