Surendranagar

સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!

સુરેન્દ્રનગર: ધોળી ધજા ડેમની સફાઈનો અભાવ, પીવાના પાણીની ગુણવત્તા જોખમમાં!

લાખો લોકોને પીવાનુ પાણી પહોચાડતા પમ્પિંગ સ્ટેશન પર કચરાના અને સેવાળના થર જામ્યા

આ પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર થસે સીધી અસર સુરેન્દ્રનગર વઢવાણ રતનપર જોરાવરનગર સહિત સમગ્ર શહેરી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ધોળી ધજા ડેમમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળ્યો છે, જેના કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય અને ગંભીર બીમારીઓ ફેલાવવાનો ભય દેખાય રહ્યો છે

સુરેન્દ્રનગર શહેરીજનોને પીવાનુ પાણી પોહચાડતુ ધોળીધજા પમ્પિંગ સ્ટેશન પાસે સેવાળનો કબજો કચરાના થર અને ડેમમાં ઠેર ઠેર સેવાળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પાણીના મુખ્ય સ્ત્રોત એવા પમ્પિંગ સ્ટેશન નજીક સફાઈનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ સેવાળ અને કચરાના કારણે અવારનવાર પમ્પિંગ સ્ટેશનની મોટરોમાં તે ફસાઈ જાય છે, જેના પરિણામે સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે.

વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાથી શહેરીજનોને પીવાના પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડે છે. એક તરફ શુદ્ધ પાણી મળતું નથી અને બીજી તરફ પાણી પુરવઠો પણ અનિયમિત બને છે. ડેમના પાણીમાં વધતા સેવાળના કારણે પાણીની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થયા છે, જે રોગચાળાને નોતરી શકે છે.

શહેરમાં એક તરફ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે લોકોની પ્રબળ માંગ ઉઠી છે કે, જ્યાંથી લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેવા ધોળી ધજા ડેમના પાણીમાં તાત્કાલિક ધોરણે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવે.

સ્થાનિકો માની રહ્યા છે કે મનપા અને સંબંધિત તંત્રએ આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપીને ડેમની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની આસપાસના વિસ્તારને નિયમિતપણે સ્વચ્છ રાખવા માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેથી સુરેન્દ્રનગર-વઢવાણના લોકોને શુદ્ધ અને નિયમિત પીવાનું પાણી મળી રહે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકરાળ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago