Surendranagar

સુરેન્દ્રનગર: જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીનું અજરામર ટાવર ફાયર સ્ટેશનમાં હંગામી સ્થળાંતર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં ટાવર પાસે આવેલી ઐતિહાસિક જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લાઈબ્રેરીના મકાનને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા રિનોવેશનને પગલે, તંત્ર દ્વારા લાઈબ્રેરીનું કામચલાઉ ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવેથી આ લાઈબ્રેરી અજરામર ટાવર પાસે આવેલા ફાયર સ્ટેશનના પ્રથમ માળે કાર્યરત થશે.

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવીનીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાઈબ્રેરીને ફરીથી તેના મૂળ સ્થાને ખસેડવામાં આવશે. ત્યાં સુધી તમામ વાચકો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓએ વાંચન તથા અન્ય સેવાઓ માટે અજરામર ટાવર ફાયર સ્ટેશન ખાતે સંપર્ક કરવાનો રહેશે.

તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાંચન પ્રેમીઓને રિનોવેશન દરમિયાન પણ સુવિધા મળતી રહેશે. આ આધુનિકીકરણ બાદ લાઈબ્રેરીમાં વાચકો માટે વધુ સારી સગવડો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago