સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં માત્ર ૦૬ બ્લેક સ્પોટ (અકસ્માત પ્રભાવી ક્ષેત્રો) હતા, જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને ૦૯ પર પહોંચી ગઈ છે. આ વધારાને પગલે આજથી આરટીઓ, ટ્રાફિક પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી) વિભાગની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી છે.
સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ ચોક્કસ સ્થળોએ વારંવાર થતાં અકસ્માતના પરિબળોની તપાસ કરવાનો છે જેના કારણે લોકો જીવ ગુમાવે છે. હાલ (૧) દેવપરા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૨) પાણશીણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૩) ઓનેસ્ટ હોટલ- લીંબડી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૪) બલદાણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૫) સાયલા ગામ (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૬) ડોળીયા બાઉન્ટ્રી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૭) આપાગીગા ચોકડી-ચોટીલા (અમદાવાદ-રાજકોટ હાઇવે)(૮) સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ (૯) વઢવાણ ગેબનશાપીર રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હોવા છતાં વાહનચાલકોમાં અપેક્ષિત જાગૃતિ જોવા મળી નથી. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી અકસ્માતોનો નિવેડો લાવવા માટે વિવિધ સ્તરે લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસર એમ.ડી. પાનેશરિયાએ જણાવ્યું હતું કે, ‘અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સ્થળો પર નવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, દિશાસૂચક બોર્ડ અને લોકજાગૃતિના બેનરો લગાવવામાં આવશે. ડેટા એનાલિસિસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે ટેકનિકલ ખામી કે માનવીય ભૂલમાંથી કયું પરિબળ વધુ જવાબદાર છે.’ હાઇવે પરના મોટાભાગના સીસીટીવી-સ્પીડ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઇવે (૪૭) પર કરોડોનો ખર્ચે સીસીટીવી કેમેરા, સ્પીડ કેમેરા અને સ્પીડ લિમિટ ડિસ્પ્લે લગાવામાં આવી છે પરંતુ એક કેમેરા કે ડિસ્પ્લે કાર્યરત હાલતમાં નથી. જેના કારણે હાઇવે પર વાહન ચાલકો બેફામ બની અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધતા આ કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…