Surendranagar

અહીંથી નીકળો તો સાવધાન રહેજો, સુરેન્દ્રનગરમાં બ્લેક સ્પોટની સંખ્યા 6થી વધીને 9 થઈ

  • નવમાંથી સાત અકસ્માત ઝોન અમદાવાદ-રાજકોટ હાઇવે પર
  • RTO, પોલીસ અને R&B વિભાગે અકસ્માતના કારણો શોધવા તપાસ હાથ ધરી
  • હાઈવે પર સ્પીડ બ્રેકર, બેનરો લગાવવા આદેશ
  • માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી છતાં જાગૃતિનો અભાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં માત્ર ૦૬ બ્લેક સ્પોટ (અકસ્માત પ્રભાવી ક્ષેત્રો) હતા, જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને ૦૯ પર પહોંચી ગઈ છે. આ વધારાને પગલે આજથી આરટીઓ, ટ્રાફિક પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી) વિભાગની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી છે.

સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ ચોક્કસ સ્થળોએ વારંવાર થતાં અકસ્માતના પરિબળોની તપાસ કરવાનો છે જેના કારણે લોકો જીવ ગુમાવે છે. હાલ (૧) દેવપરા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૨) પાણશીણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૩) ઓનેસ્ટ હોટલ- લીંબડી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૪) બલદાણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૫) સાયલા ગામ (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૬) ડોળીયા બાઉન્ટ્રી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૭) આપાગીગા ચોકડી-ચોટીલા (અમદાવાદ-રાજકોટ હાઇવે)(૮) સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ (૯) વઢવાણ ગેબનશાપીર રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હોવા છતાં વાહનચાલકોમાં અપેક્ષિત જાગૃતિ જોવા મળી નથી. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી અકસ્માતોનો નિવેડો લાવવા માટે વિવિધ સ્તરે લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસર એમ.ડી. પાનેશરિયાએ જણાવ્યું હતું કે, ‘અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સ્થળો પર નવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, દિશાસૂચક બોર્ડ અને લોકજાગૃતિના બેનરો લગાવવામાં આવશે. ડેટા એનાલિસિસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે ટેકનિકલ ખામી કે માનવીય ભૂલમાંથી કયું પરિબળ વધુ જવાબદાર છે.’ હાઇવે પરના મોટાભાગના સીસીટીવી-સ્પીડ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઇવે (૪૭) પર કરોડોનો ખર્ચે સીસીટીવી કેમેરા, સ્પીડ કેમેરા અને સ્પીડ લિમિટ ડિસ્પ્લે લગાવામાં આવી છે પરંતુ એક કેમેરા કે ડિસ્પ્લે કાર્યરત હાલતમાં નથી. જેના કારણે હાઇવે પર વાહન ચાલકો બેફામ બની અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધતા આ કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago