Surendranagar

સુરેન્દ્રનગરની 1,355 આંગણવાડીની 2,710 બહેનો હડતાલ પર ઉતરશે

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલી કુલ 1,355 આંગણવાડીઓના વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો, નવા મોબાઈલ ફોન અને અન્ય 12 જેટલા પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, જિલ્લાના 2,710 જેટલા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આંગણવાડી બહેનોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને આંગણવાડી વર્કર્સ માટે રૂ. ૨૪,૮૦૦ અને હેલ્પર્સ માટે રૂ. ૨૦,૩૦૦ માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હોવા છતાં, સરકાર દ્વારા હજુ પણ માત્ર રૂ. ૧૦,૦૦૦ અને રૂ. ૫,૦૦૦ જેવું નજીવું વેતન આપવામાં આવે છે. આ આથક અન્યાય સામે મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પગાર ઉપરાંત ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ૨૦૧૮થી સરકાર દ્વારા નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી, જેના કારણે જૂના હેન્ડસેટમાં નવી એપ્લિકેશનો ચાલતી નથી. છેલ્લા ૧૨ દિવસથી ઓનલાઈન કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવા ફોન આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ કરવી, બાળકોના પોષણ આહારના દરમાં વધારો અને બિલોની સમયસર ચુકવણી જેવી મહત્વની માંગણીઓ સાથે આંદોલન તેજ કરવામાં આવ્યું છે. વઢવાણ ઘટકના આંગણવાડી વર્કર પ્રીતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સરકાર મચક આપતી નથી. આવતીકાલથી પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓ બંધ રહેશે. આ દરમિયાન રેલી અને ધરણાં જેવા કાર્યક્રમો યોજાશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાલ અચોક્કસ મુદતની બની શકે છે.’

આ હડતાલને કારણે હજારો ભૂલકાઓને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર બંધ થશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવું કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે. વાલીઓને પણ આ સ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

7 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

10 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

10 hours ago

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…

10 hours ago

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…

11 hours ago

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…

11 hours ago