Surendranagar

સુરેન્દ્રનગરની 1,355 આંગણવાડીની 2,710 બહેનો હડતાલ પર ઉતરશે

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલી કુલ 1,355 આંગણવાડીઓના વહીવટ પર આવતીકાલથી મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લાંબા સમયથી પગાર વધારો, નવા મોબાઈલ ફોન અને અન્ય 12 જેટલા પડતર પ્રશ્નો મામલે રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, જિલ્લાના 2,710 જેટલા આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.

આંગણવાડી બહેનોએ જણાવ્યું કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને આંગણવાડી વર્કર્સ માટે રૂ. ૨૪,૮૦૦ અને હેલ્પર્સ માટે રૂ. ૨૦,૩૦૦ માસિક પગાર નક્કી કરવામાં આવ્યો હોવા છતાં, સરકાર દ્વારા હજુ પણ માત્ર રૂ. ૧૦,૦૦૦ અને રૂ. ૫,૦૦૦ જેવું નજીવું વેતન આપવામાં આવે છે. આ આથક અન્યાય સામે મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પગાર ઉપરાંત ટેકનોલોજીનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. ૨૦૧૮થી સરકાર દ્વારા નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી, જેના કારણે જૂના હેન્ડસેટમાં નવી એપ્લિકેશનો ચાલતી નથી. છેલ્લા ૧૨ દિવસથી ઓનલાઈન કામગીરી બંધ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે નવા ફોન આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત, નિવૃત્તિ વય મર્યાદા ૬૦ વર્ષ કરવી, બાળકોના પોષણ આહારના દરમાં વધારો અને બિલોની સમયસર ચુકવણી જેવી મહત્વની માંગણીઓ સાથે આંદોલન તેજ કરવામાં આવ્યું છે. વઢવાણ ઘટકના આંગણવાડી વર્કર પ્રીતિબેન ચાવડાએ જણાવ્યું હતું કે, ‘અમે વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ સરકાર મચક આપતી નથી. આવતીકાલથી પ્રથમ તબક્કામાં ત્રણ દિવસ સુધી તમામ આંગણવાડીઓ બંધ રહેશે. આ દરમિયાન રેલી અને ધરણાં જેવા કાર્યક્રમો યોજાશે. જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આ હડતાલ અચોક્કસ મુદતની બની શકે છે.’

આ હડતાલને કારણે હજારો ભૂલકાઓને મળતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણક્ષમ આહાર બંધ થશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવું કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે. વાલીઓને પણ આ સ્થિતિથી માહિતગાર કરવામાં આવ્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago