સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી અને વઢવાણને જોડતા બેઠેલા પુલના નવનિર્માણની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતા આ પુલ ડૂબી જતો હોવાથી તેને ઊંચો બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ લાંબા સમયથી કામ અધૂરું હોવાથી હજારો કામદારો અને વિદ્યાર્થીઓને વઢવાણ ધોળીપોળ થઈને લાંબો ધક્કો ખાવો પડે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. નજીકમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં એમ્બ્યુલન્સને 3 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેના કારણે ઈમરજન્સી સમયે દર્દીઓના જીવ જોખમાય છે.
ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામ લટકી પડ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા પહેલા આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી જીઆઈડીસીના શ્રમિકો અને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…