સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી અને વઢવાણને જોડતા બેઠેલા પુલના નવનિર્માણની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતા આ પુલ ડૂબી જતો હોવાથી તેને ઊંચો બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ લાંબા સમયથી કામ અધૂરું હોવાથી હજારો કામદારો અને વિદ્યાર્થીઓને વઢવાણ ધોળીપોળ થઈને લાંબો ધક્કો ખાવો પડે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. નજીકમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં એમ્બ્યુલન્સને 3 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેના કારણે ઈમરજન્સી સમયે દર્દીઓના જીવ જોખમાય છે.
ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામ લટકી પડ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા પહેલા આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી જીઆઈડીસીના શ્રમિકો અને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…