Surendranagar Congress Protest | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં મતદાર યાદી (Voter List) સુધારણા ઝુંબેશ દરમિયાન મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી હજારો મતદારોના નામ કાપવા માટે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો—દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાં અંદાજે 24,000 થી વધુ ફોર્મ નંબર 7 (Form No. 7) ખોટી રીતે ભરવામાં આવ્યા છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે થાય છે.
શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી (Collector Office) સુધી પદયાત્રા યોજી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસે માંગણી કરી છે કે (1) ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો (FIR) દાખલ કરવામાં આવે. (2) સોફ્ટવેર અને ફોર્મ પ્રિન્ટિંગની તપાસ (Investigation) કરવામાં આવે.
આ તકે હાજર કોંગ્રસના પદાધિકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં ઉકેલ નહીં આવે, તો 13 ફેબ્રુઆરીએ ચક્કાજામ (Road Block) કરવામાં આવશેલખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…