Surendranagar Congress Protest | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં મતદાર યાદી (Voter List) સુધારણા ઝુંબેશ દરમિયાન મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી હજારો મતદારોના નામ કાપવા માટે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો—દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાં અંદાજે 24,000 થી વધુ ફોર્મ નંબર 7 (Form No. 7) ખોટી રીતે ભરવામાં આવ્યા છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે થાય છે.
શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી (Collector Office) સુધી પદયાત્રા યોજી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસે માંગણી કરી છે કે (1) ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો (FIR) દાખલ કરવામાં આવે. (2) સોફ્ટવેર અને ફોર્મ પ્રિન્ટિંગની તપાસ (Investigation) કરવામાં આવે.
આ તકે હાજર કોંગ્રસના પદાધિકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં ઉકેલ નહીં આવે, તો 13 ફેબ્રુઆરીએ ચક્કાજામ (Road Block) કરવામાં આવશેધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…