સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા..
અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની નોબત સર્જાઈ..
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોની તો માઠી દશા છે પરંતુ શહેરીજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના અજરામાં ટાવર ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા જિલ્લા પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા લોકોને પણ હાલાકી વેઠવાની નોબત સર્જાઈ હતી..
આ બાબતની જાણ થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર અને અંડર બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તે માટે કામ પર લગાવવામાં આવી હતી ભૂગર્ભ ડ્રેનેજ યોજના લોક થઈ જતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાહનો પણ બંધ પડી જતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા હતા..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…