સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તા.13 માર્ચના રોજ યોજાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષામાં જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી કુલ 5870 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિષય માટે કુલ 5953 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 83 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ચોરી કે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી.
બીજી તરફ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હિન્દી વિષયની પરીક્ષામાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં હિન્દી વિષય માટે કુલ 3 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 2 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ, માત્ર 2 વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર સુચારુ રીતે સંપન્ન થઈ છે.
જ્યારે ધો. 10માં ગુજરાતી વિષયના પેપરમાં 760 વિદ્યાર્થી હાજર અને ચાર વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…