Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના BLO સાથે નાયબ મુખ્ય દંડકની ખાસ બેઠક..

SIR ની કામગીરી અંગે નો રિપોર્ટ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મેળવ્યો..

SIR ની કામગીરી માં સહયોગ આપવા અપીલ પણ કરાઈ..

મતદાતાઓ ફોર્મ રજૂ કરવામાં બાકી ન રહી જાય તે માટે સૂચના પણ આપવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઇઆર ની કામગીરી 99 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના 14,00,000 થી વધુ મતદાતાઓ દ્વારા ફોર્મ સબમીશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદાતાઓ દ્વારા એસઆઇઆર ની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં નથી આવ્યા જેને લઈને હવે બીએલઓને ખાસ તાકીદ કરાવી અને આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવા માટે નેતાઓ પણ મેદાને ઉતર્યા છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા પણ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઇઆર ની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો છે અને જે કામગીરી થઈ છે તેને વિગતો બીએલઓ પાસેથી મેળવવામાં આવી છે. બીએલઓ ને જરૂરી સૂચનાઓ પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે અને બાકી રહી ગયેલા મતદાતાઓની કામગીરી તાત્કાલિક પૂરી થાય તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.

તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરી અને એસઆઇઆર ની કામગીરીમાં બી.એલ.ઓને સહયોગ કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે હજુ પણ જિલ્લાના 28,000 થી વધુ મતદાતા હોય પોતાના ફોર્મ સબમીશન નથી કરાવ્યા ત્યારે એ પણ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે એસ.આઇ.આરની કામગીરી જોડાનાર બીએલઓની કામગીરી પણ ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી છે..

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

8 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago