હેલિકોપ્ટરમાં જાન લઈ અને પિતાની ઈચ્છા પૂર્ણ કરવા પુત્ર પરણવા પહોંચ્યો..
હેલિકોપ્ટરમાં જાન આવતા નાના એવા ખાંભડા ગામમાં લોકો જોવા ઉમટી પડ્યા…
સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં વસવાટ કરતા પીડી રાઠોડ નું થોડા સમય પહેલા અવસાન થયું હતું ત્યારે પોતાના પુત્રની જાન લઈ અને હેલિકોપ્ટરમાં જવાની તેમની તીવ્ર ઈચ્છા હતી અને જીવનની તેમની આ છેલ્લી ઈચ્છા હતી કે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જાય ત્યારે તેમનો પુત્ર રાજેન્દ્ર રાઠોડ ના લગ્ન કરવામાં આવ્યા છે અને પોતા ના મૃત પિતાની ઈચ્છા પૂરી કરવા પુત્ર રાજેન્દ્ર રાઠોડ હેલિકોપ્ટરમાં જાન લઈ અને ખાંભડા ગામે પહોંચ્યો હતો..
જોકે નાના એવા ખાંભડા ગામમાં હેલિકોપ્ટરમાં જાન ગઈ હોવાના કારણે સ્થાનિક લોકો પણ નજારો જોવા માટે હેલીપેડ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના મૃતક પિતાની ઈચ્છા માટે પુત્ર એ પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હેલિકોપ્ટરમાં જાન પણ લઈ જવામાં આવી ત્યારે આ દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા નાગબાઈ માં ના મોણીયા ધામના મહંત શ્રી વિજય બાપુ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
મૃતક પિતાની ઈચ્છા પૂર્ણ કરતો પુત્રને જોઈ અને પરિવાર ની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈ પહોંચેલા વરરાજા ને પરણાવી અને ત્યારબાદ નવદંપતીને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા હતા..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…