Surendranagar

સુરેન્દ્રનગર સબ જેલમાં SOGનું ચેકિંગ, મોબાઇલ અને ચાર્જર મળી આવ્યા

Surendranagar SOG : સુરેન્દ્રનગરની SOG શાખા દ્વારા સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો હેતુ જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવાના પ્રયાસોને રોકવાનો અને કાયદાનું કડક પાલન કરાવવાનો છે.

SOG સ્ટાફના જવાનોએ સુરેન્દ્રનગર સબ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને જેલના બેરેકનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન, બેરેક નંબર-૦૩ માં આવેલા બાથરૂમના ઉપરના ભાગેથી સંતાડેલા બે પ્રતિબંધિત મોબાઇલ ફોન અને એક મોબાઇલ ચાર્જર મળી આવ્યા હતા.

કુલ મળી આવેલ મુદ્દામાલની કિંમત આશરે ₹ ૧,૦૦૦/- જેટલી આંકવામાં આવી છે. જેલની સુરક્ષા અને કાયદાના ઉલ્લંઘન બદલ SOG સુરેન્દ્રનગર દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરનો ગુનો નોંધી, આગળની જરૂરી કાર્યવાહી માટે કેસ સુરેન્દ્રનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર દ્વારા સમયાંતરે ધ્રાંગધ્રા અને લીંબડી સહિતની સબ જેલોમાં આ પ્રકારના ચેકિંગ હાથ ધરીને જેલમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.આ મોબાઇલ જેલમા કોણ લાવ્યુ કેટલા સમયથી આનો ઉપયોગ થતો હતો કોની સાથે વાત થતી હતી એની તપાસ હાથ ધરાઇ

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago