Dhrangadhra

રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી અંદાજે 500 વર્ષ જૂની પૌરાણિક ‘અંબાજીની વાવ’ લાંબા સમયથી ઉપેક્ષિત અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે બિસ્માર હાલતમાં હતી.

આ ઐતિહાસિક સ્થાપત્યની જાળવણી માટે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, અંતે ગામના યુવાનોએ ‘જાત મહેનત ઝિંદાબાદ’નું સૂત્ર સાર્થક કર્યું છે. યુવાનોએ સ્વખર્ચે અને લોકફાળો એકત્રિત કરીને આ વાવની સંપૂર્ણ સાફ-સફાઈ હાથ ધરી તેને પુનઃ ભવ્ય સ્વરૂપ આપ્યું છે.

આ વાવ ધ્રાંગધ્રાના પ્રખ્યાત પથ્થરો પર કરવામાં આવેલી સુંદર કોતરણી માટે જાણીતી છે, જેમાં અંબાજી માતાજી, હનુમાનજી અને ગણેશજીના મંદિરો પણ આવેલા છે. કલા અને સંસ્કૃતિનો બેનમૂન નમૂનો હોવા છતાં પુરાતત્વ વિભાગની ઉદાસીનતાને કારણે આ વાવ ખંડેર બની રહી હતી.

હવે ગ્રામજનોની પ્રબળ માંગ છે કે આ 500 વર્ષ જૂની ઈમારતને હેરિટેજ લિસ્ટમાં સમાવવામાં આવે, જેથી તેની કાયમી જાળવણી થઈ શકે અને આવનારી પેઢી આ ભવ્ય ઇતિહાસથી માહિતગાર રહી શકે. યુવાનોના આ પ્રયાસની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago