Categories: Uncategorized

પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર

પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર

મૈત્રી કરાર રદ કરો.જેતે વિસ્તારમાજ લગ્ન થવા જોઈએ પ્રેમ લગ્નમા 10 લાખની એફડી ફરજિયાત સહીતની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણના સર્વ સમાજ વતી ધોળકીયા મનિષ કનૈયાલાલના નેતૃત્વમાં કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે કલેક્ટરને પ્રેમ લગ્ન સંબંધિત કાયદાઓ અને મૈત્રી કરારના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદા અને મૈત્રી કરાર સંબંધિત નિયમોમાં અનેક ખામીઓ છે, જેના કારણે સમાજમાં અવ્યવસ્થા, અસંતોષ અને કુટુંબ વ્યવસ્થામાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને કૌટુંબિક મૂલ્યોની રક્ષા માટે કાયદાઓમાં તાત્કાલિક સુધારા અનિવાર્ય છે.સર્વ સમાજની મુખ્ય માંગણીઓને ધ્યાને લઇ સર્વ સમાજ વતી આવેદનપત્રમાં માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેમ લગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.મૈત્રી કરાર કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે. લગ્ન માટે ૩૦ વર્ષની વય સુધી છોકરા-છોકરીઓએ માતા-પિતાની ફરજીયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે. પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે. સાક્ષીઓની ઉંમર ૪૦ વર્ષ સુધીની રાખવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર યુગલ પાસે રૂ. ૧૦ લાખની એફ.ડી. ફરજીયાત કરાવવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર વ્યકિતએ પોતાના માતા-પિતાની સંપત્તિ ઉપરથી કાયદેસર રીતે બેદખલ થવું જોઈએ.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ માંગણીઓ અવગણવામાં આવશે તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનોની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ધોળકીયા મનિષ કનૈયાલાલે આપી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago