Dasada-Patdi

પાટડીના ઝેઝરીમાં ખેતરમાં કડબની આડશમાંથી ₹8.63 લાખનો વિદેશી દારૂ

Dasada-Patdi News | સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરી ગામની સીમમાં બજાણા પોલીસે (Bajana Police) મોટી કાર્યવાહી કરી છે. ખેતરમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ દરોડા (Raid) દરમિયાન બંને બુટલેગરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ.કે. વાઘેલા અને તેમની ટીમને પેટ્રોલિંગ (Patrolling) દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, ઝેઝરીથી અંકેવાડિયા જવાના માર્ગ પર આવેલા મયુરખાન મલેકના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાં તપાસ કરતા કડબની આડશ નીચે છુપાવેલી કુલ 1344 નંગ નાની-મોટી દારૂની બોટલો અને બિયરના ટીન (કિંમત: ₹8,63,184) મળી આવ્યા હતા.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઝેઝરી ગામના મયુરખાન મહમદખાન મલેક અને પીપળી ગામના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago