પાટડી જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બામણવા ગામે આંગણવાડી તથા આશાવર્કર બહેનોને સાડી વિતરણ.
પાટડી: જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટડી તાલુકાના બામણવા ગામે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જયાબેન ચાવડા અને દિનેશભાઈ ચાવડા તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો, ગામને વ્યસનમુક્ત બનાવવાનો અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને આગળ વધારવાનો હતો. આ પ્રસંગે ગાંધીનગર માહિતી વિભાગના પૂર્વ અધિકારી ભાનુભાઈ દવે, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત આંગણવાડી અને આશાવર્કર બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટની આ પહેલને ગામ લોકોએ આવકારી હતી. આ કાર્યક્રમ થકી ટ્રસ્ટે સમાજ ઉત્થાન અને જાગૃતિનો સંદેશો ફેલાવ્યો છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…