2024માં કેટલા ખેડૂતોને સહાય ચૂકવામાં આવી તેની વિગત માંગવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી પાસે પણ વિગત ન હોવાનું સામે આવ્યું..
10 દિવસનું ખેડૂતોએ આપ્યું અલ્ટીમેટમ – આંકડાઓ સાથે વંચિત ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી.
2024 ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો અને અતિવૃષ્ટિના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા 1400 કરોડથી વધુનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા.
પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના 2024 ના વર્ષ માં કપાસ મગફળી સહિતના પાકોને વરસાદના કારણે જે નુકસાન પહોંચ્યું જેમાં 1.68 લાખ ખેડૂતો દ્વારા નુકસાનીની સહાય મેળવવા માટે સરકારમાં ફોર્મ ભરવામાં આવ્યા જેમાં પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 93,125 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી અને સહાયની રકમની ચુકવણી પણ પૂર્ણ કરવામાં આવી પરંતુ 74,966 જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા જેને લઇને ખેડૂતોએ વારંવાર રજૂઆત બાદ અંતે સરકાર દ્વારા નિર્ણય કરી અને નવો પરિપત્ર જાહેર કરી અને કપાસના પાકને નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ નિર્ણય બાદ પણ કપાસના વાવેતર કરનાર અને નુકસાન પહોંચનાર ખેડૂતોના ખાતામાં સહાયની રકમ નથી જમા થઈ તેવો આક્ષેપ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે સમિતિ દ્વારા પ્રથમ વખત સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી પાસે 2024 ના વર્ષમાં નુકસાન અંગેના ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે તેના આંકડાઓ માંગવામાં આવ્યા પરંતુ ખેતીવાડી અધિકારી દ્વારા આંકડાઓ આપવામાં ન આવતા અંતે તાલુકા વિકાસ અધિકારી પાટડી સમક્ષ પણ પાટડી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને 2024 ના વર્ષમાં ચૂકવવામાં આવેલી સહાયના આંકડાઓ માંગવામાં આવ્યા છે.
પરંતુ તાલુકા વિકાસ અધિકારી પાસે પણ આંકડાઓ ન હોવાના કારણે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે દસ દિવસમાં પાટડીના ખેડૂતોને ચૂકવવામાં આવેલી 2024 ની સહાયના આંકડાઓ રજૂ કરવામાં આવે અને વંચિત રહી ગયેલા ખેડૂતોને પણ યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જો યાદી આપવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…