માત્ર ૪ તલાટી અને ૧ ક્લાર્કના ભરોસે ચાલતી કચેરી નિયમિત મામલતદાર સહિત ક્લાર્ક, તલાટીઓની ખાલી જગ્યાઓને લીધે સરકારી કામગીરી ખોરંભે
મુળી તાલુકાની મામલતદાર કચેરી હાલ સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. સરકાર દ્વારા મંજૂર થયેલા મહેકમ મુજબ પૂરતા કર્મચારીઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કચેરીમાં ચાર રેવન્યુ ક્લાર્કની જગ્યા સામે માત્ર એક જ ક્લાર્ક ફરજ બજાવે છે, જ્યારે ૧૧ રેવન્યુ તલાટીની જગ્યા સામે માત્ર ૪ તલાટીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા નિયમિત મામલતદારની ગેરહાજરી છે, જેના કારણે વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.
ખાસ કરીને ખેડૂતોને સાત-બારની નોંધો પડાવવા અને ગરીબ વર્ગના લોકોને રેશનિંગના કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્ટાફની આ ઘટને કારણે સરકારી યોજનાઓનો લાભ સમયસર મળતો નથી. આ ગંભીર પ્રશ્ને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે મહેકમ મુજબના ક્લાર્ક, તલાટી અને કાયમી મામલતદારની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સ્ટાફ નહીં ભરાય તો આગામી સમયમાં લોકોનો રોષ વધુ વકરે તેવી શક્યતા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…