માત્ર ૪ તલાટી અને ૧ ક્લાર્કના ભરોસે ચાલતી કચેરી નિયમિત મામલતદાર સહિત ક્લાર્ક, તલાટીઓની ખાલી જગ્યાઓને લીધે સરકારી કામગીરી ખોરંભે
મુળી તાલુકાની મામલતદાર કચેરી હાલ સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. સરકાર દ્વારા મંજૂર થયેલા મહેકમ મુજબ પૂરતા કર્મચારીઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કચેરીમાં ચાર રેવન્યુ ક્લાર્કની જગ્યા સામે માત્ર એક જ ક્લાર્ક ફરજ બજાવે છે, જ્યારે ૧૧ રેવન્યુ તલાટીની જગ્યા સામે માત્ર ૪ તલાટીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા નિયમિત મામલતદારની ગેરહાજરી છે, જેના કારણે વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.
ખાસ કરીને ખેડૂતોને સાત-બારની નોંધો પડાવવા અને ગરીબ વર્ગના લોકોને રેશનિંગના કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્ટાફની આ ઘટને કારણે સરકારી યોજનાઓનો લાભ સમયસર મળતો નથી. આ ગંભીર પ્રશ્ને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે મહેકમ મુજબના ક્લાર્ક, તલાટી અને કાયમી મામલતદારની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સ્ટાફ નહીં ભરાય તો આગામી સમયમાં લોકોનો રોષ વધુ વકરે તેવી શક્યતા છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…