માત્ર ૪ તલાટી અને ૧ ક્લાર્કના ભરોસે ચાલતી કચેરી નિયમિત મામલતદાર સહિત ક્લાર્ક, તલાટીઓની ખાલી જગ્યાઓને લીધે સરકારી કામગીરી ખોરંભે
મુળી તાલુકાની મામલતદાર કચેરી હાલ સ્ટાફના અભાવે શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. સરકાર દ્વારા મંજૂર થયેલા મહેકમ મુજબ પૂરતા કર્મચારીઓ ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
કચેરીમાં ચાર રેવન્યુ ક્લાર્કની જગ્યા સામે માત્ર એક જ ક્લાર્ક ફરજ બજાવે છે, જ્યારે ૧૧ રેવન્યુ તલાટીની જગ્યા સામે માત્ર ૪ તલાટીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા નિયમિત મામલતદારની ગેરહાજરી છે, જેના કારણે વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે.
ખાસ કરીને ખેડૂતોને સાત-બારની નોંધો પડાવવા અને ગરીબ વર્ગના લોકોને રેશનિંગના કામો માટે કચેરીના અવારનવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. સ્ટાફની આ ઘટને કારણે સરકારી યોજનાઓનો લાભ સમયસર મળતો નથી. આ ગંભીર પ્રશ્ને સ્થાનિકો દ્વારા આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે મહેકમ મુજબના ક્લાર્ક, તલાટી અને કાયમી મામલતદારની નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સ્ટાફ નહીં ભરાય તો આગામી સમયમાં લોકોનો રોષ વધુ વકરે તેવી શક્યતા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…