Wadhwan

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વઢવાણ તાલુકાના રાજપર, મૂળચંદ, બાળા, કોઠારીયા અને મેમકા સહિતના પાંચથી વધુ ગામોમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ પશુઓ અને વન્ય જીવો પીવાના પાણીના વલખા પડી રહ્યા છે.

એક તરફ વહીવટી તંત્ર દ્વારા વિકાસના બહાને સીમ વિસ્તારના કુદરતી તળાવો પૂરીને ત્યાં સરકારી બિલ્ડિંગો અને આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ શરૂ કરી દેવાયા છે, તો બીજી તરફ માલધારીઓ માટે આખરી આશા સમાન ‘બોળાતળાવ’ હતું, પરંતુ નગરપાલિકાએ ઉનાળાની શરૂઆતે જ રિનોવેશનના નામે આ તળાવ પણ ખાલી કરી નાખતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ, વઢવાણના સીમ વિસ્તારોમાં વર્ષોથી પશુઓ માટે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હતા. પરંતુ કોઠારીયા નજીકના પાંચ જેટલા તળાવોમાં પુરાણ કરી દેવાતા પશુઓ તરસ્યા મરી રહ્યા છે.

હાલમાં અંદાજિત ૫,૦૦૦થી વધુ માલઢોર તેમજ રોજ અને નીલગાય જેવા વન્ય જીવો માટે પાણીનું એક પણ ટીપું ઉપલબ્ધ નથી. વધતી જતી ગરમી વચ્ચે પશુધન બચાવવા માટે માલધારીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટા અવાડા બનાવી તેમાં નિયમિત પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો અબોલ પશુઓના મોતની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભોગાવોનું પ્રદૂષિત પાણીથી પશુઓમાં રોગચાળાની ભીતી

ભોગાવો નદીમાં હાલ ડ્રેનેજનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. મજબૂરીવશ પશુઓ આ દૂષિત પાણી પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની શોધમાં વન્ય જીવો અને પશુઓની સાથે ૧૫૦થી વધુ માલધારી હિજરત કરવા મજબૂર બન્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago