Wadhwan

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. વઢવાણ તાલુકાના રાજપર, મૂળચંદ, બાળા, કોઠારીયા અને મેમકા સહિતના પાંચથી વધુ ગામોમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ પશુઓ અને વન્ય જીવો પીવાના પાણીના વલખા પડી રહ્યા છે.

એક તરફ વહીવટી તંત્ર દ્વારા વિકાસના બહાને સીમ વિસ્તારના કુદરતી તળાવો પૂરીને ત્યાં સરકારી બિલ્ડિંગો અને આયુર્વેદિક હોસ્પિટલના બાંધકામ શરૂ કરી દેવાયા છે, તો બીજી તરફ માલધારીઓ માટે આખરી આશા સમાન ‘બોળાતળાવ’ હતું, પરંતુ નગરપાલિકાએ ઉનાળાની શરૂઆતે જ રિનોવેશનના નામે આ તળાવ પણ ખાલી કરી નાખતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ, વઢવાણના સીમ વિસ્તારોમાં વર્ષોથી પશુઓ માટે પાણીના સ્ત્રોત ઉપલબ્ધ હતા. પરંતુ કોઠારીયા નજીકના પાંચ જેટલા તળાવોમાં પુરાણ કરી દેવાતા પશુઓ તરસ્યા મરી રહ્યા છે.

હાલમાં અંદાજિત ૫,૦૦૦થી વધુ માલઢોર તેમજ રોજ અને નીલગાય જેવા વન્ય જીવો માટે પાણીનું એક પણ ટીપું ઉપલબ્ધ નથી. વધતી જતી ગરમી વચ્ચે પશુધન બચાવવા માટે માલધારીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોટા અવાડા બનાવી તેમાં નિયમિત પાણી ભરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો અબોલ પશુઓના મોતની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભોગાવોનું પ્રદૂષિત પાણીથી પશુઓમાં રોગચાળાની ભીતી

ભોગાવો નદીમાં હાલ ડ્રેનેજનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. મજબૂરીવશ પશુઓ આ દૂષિત પાણી પીતા હોવાથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીની શોધમાં વન્ય જીવો અને પશુઓની સાથે ૧૫૦થી વધુ માલધારી હિજરત કરવા મજબૂર બન્યા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago