Surendranagar

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ઝાલાવાડમાં શક્કરીયા-બટેકાનું ધૂમ વેચાણ : ભાવ ગત વર્ષ કરતા વધુ

Maha Shivratri | સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈને કંદમૂળ શક્કરીયા અને બટાકાનું વેચાણ કરતા વેપારીઓ સવારથી બજારમાં વેચાણ કરવા બેસી ગયા હતા.ગત વર્ષ કરતા હાલમાં બજારમાં શક્કરીયાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૫૦ થી ૭૦ તેમજ બટાકાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૪૦ થી ૫૦ રૂપિયા બોલાયો હતો.

શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળ ખાવાની જૂની પરંપરા રહેલી છે ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના દિવસે લોકો આ કંદમૂળ ખાઈ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખતા હોય છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે.

ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત લખતર શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં શક્કરીયા અને બટેકાની સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરતા બજારોમાં નજરે પડયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી, લીંબડી, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં પણ મહાશિવરાત્રીના પર્વને લઈને શક્કરીયા અને બટેકાની ખરીદીમાં ભીડ જોવા મળી હતી.

user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago